Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 302 -વગેરેને કાઢવાં પડશે. બાકી સંગઠન થતાં શકિત કેવી ખીલે છે તેને એક નમૂને મજૂર મહાજન સંધ છે. આજે મિલ માલિકો અને મજૂર * ખભેખભા મેળવીને કામ કરે છે. 1949 માં નિરાશ્રિતો આવ્યા અને છાવણીમાં વીશ ઈચ વરસાદને લીધે પાણી ભરાયું. ત્યારે અડખે પડખેનાં ગામોન સાદ પાડી કહેવડાવતાં પૂરી, રોટલા, શાક વગેરે એટલું બધું આવી ગયેલું કે આશ્ચર્યરૂપે સંગઠિત શકિતને ખ્યાલ આવ્યો. સુરતની તાપી રેલ વખતે, લાખો રૂપિયા, અનાજ, કાપડ વગેરે ગયું જ હતું. આમ આજે પણ વેરવિખેર પડેલી શક્તિ નિમિત્ત મળતાં પર બતાવે જ છે. દૈવી શકિત જાગતાં, આસુરી શકિત આપમેળે ઠંડી પડી જશે. બાપુજીએ-ગાંધીજીએ એ જ કાર્ય કર્યું હતું ને ! શ્રી શ્રોફ : વિશ્વવાત્સલ્યના કાર્યક્રમમાં, , સમજણ પડતાં મને -હવે પૂરી શ્રધ્ધા બેસી ગઈ છે. કોડીએ-કોડીયું સંધાતા જગતભરમાં એ દીપી ઊઠશે ! સવારનું પ્રવચન પદ્ધતિસરનું યોગ્ય હતું : પૂ. શ્રી સંતબાલજીએ ત્યારબાદ બેલતાં કહ્યું: “સવારે ભાટલિયાએ “સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપ, સર્વત્ર શાંતિ વિસ્તરે,” એ મંત્રનો કાર્યક્રમ, સપ્તસ્વાવલંબન, જગતની વિષમતાઓનું નિવારણ, ગુણવૃદ્ધિ અને વિશ્વશાંતિ માટે યુનો અને કોંગ્રેસનું રક્ષણ એ બાબતો ઉપર કહીને મારો અભિપ્રાય માંગ્યો હતો. મારો અભિપ્રાય એ છે કે “એમણે જે પોતાની આગવી શૈલીથી પ્રતિપાદન કર્યું છે તે ઘણું જ યોગ્ય છે.” પરદેશની બાબતેના ઉકેલમાં બે વસ્તુઓની પ્રતીતિ કરાવવી પડશે : પરદેશ સાથેના સવાલોના ઉકેલમાં બે વસ્તુઓની પ્રતીતિ આપણે તેમને આપવી પડશે :-(1) હિંસા દ્વારા તાત્કાલિક પ્રશ્નો પતતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust