Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 301 વિધવાત્સલ્ય પ્રયોગને સુખદ અનુભવ: શ્રી દેવજીભાઈઃ “મારે અનુભવ બળવંતભાઈ કરતાં જુદે અને પ્રોત્સાહક છે. મને તેલી, હરિજન તથા ગામના લોકોથી જે સાથ. સહયોગ મળ્યા છે તેને આનંદ રસના કુંડા જેવો છે, અમારી બાળાઓ. પણ રૂડા સંદેશાઓ જગાવતી હોય છે. ઘણાં ભાઈબહેને તો તેમને કેટલું બધું માન આપે ? કેટલીકવાર મજૂરીનું મૂલ્ય પણ ન લે ત્યારે પરાણે આપવું પડે અને રાજી રાજી થઈ જાય. . મને લાગે છે કે સંગઠનનું પીઠબળ ન હોય અને એકલદેલ. નિરાશ થાય તે જુદી વાત છે. કેટલીક વાર એકલદોકલના સ્વભાવ દોષના કારણે પણ નિરાશ થવાનો સંભવ છે. બાકી ક્રૂર, દાંડ અને. સ્થાપિત હિતનાં તત્તે પણ થોડી વાર હૂંફાડા મારી, સાચાં સંગ આગળ નમ્ર બની હેત વરસાવે છે. એટલે આવેશને વશ ન થતાં કે ખોટા આત્મ સંતોષને વશ ન થતાં પણ એટલું તે ઉઘાડી રીતે જોઈ શકાય છે કે વિશ્વાત્સલ્યનો કાર્યક્રમ અજોડ છે. ઓછી સમજ કે પ્રકૃતિદોષ વ. , કારણે હતાશ થઈએ કે ઓછી આશા તરફ ઢળીએ તો જુદી વાત છે. - શ્રી બળવંતભાઈ: ભાલ નળકાંઠા પ્રયોગે, સર્વાગ ભાવે અનુબંધ વિચારધારાનો અમલ કરી પછી જ વિશ્વચોગાનમાં આ રજૂ થયેલ છે. એટલે વહેલું મોડું તે આખા જગતમાં ફેલાશે જ એની મને શ્રદ્ધા છે. પણ, અડચણે પગે પગે ઘણી આવે છે. - પૂ. દંડી સ્વામી : એ અંગે આપણું નેતા આ કાર્યક્રમ અંગે. શ્રી સંતબાલજી છે. તેમણે દરેકની શકિત અને શ્રદ્ધા પ્રમાણે કાર્યક્રમ આપવો જોઈએ અને આપણે તર્કશુદ્ધ શ્રધ્ધાનિષ્ઠાથી તેને અમલમાં મૂકીએ તો અડચણ દૂર થઈ શકશે. ભાગલા પાડતાં તો દૂર કરવા પડશે: : * શ્રી પૂંજાભાઈ : વિશ્વવાત્સલ્યમાં ભાગલાં પડાવનારાં તને આપણે હઠાવવાં પડશે. કોમવાદ, ભાષાવાદ, અંગત સ્વાર્થ; અજ્ઞાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust