Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ પ્રાયોગિક સંઘના અન્વયે ગુજરાતમાં અને મુંબઈમાં થયેલાં શહેર સંગઠને ઉપર બહુ બેજો પડશે. વર્ષોથી પાછળ પડી ગયેલાં સાંસ્કૃતિક તને ઉંચા લાવી, યુનોને ટેકો આપી યુનેને મજબુત કરવું પડશે. કારણ કે તે જ રાજકીય ક્ષેત્રે. આજે વિશ્વશાંતિની આધારશિલા સમી વિશ્વસંસ્થા છે. તેના વડે આપણે વિશ્વને સામે રાખી અહિંસક કાર્યક્રમો બનાવી પાર પાડવાં પડશે. આ કાર્યક્રમ દા. ત. આવા પ્રકારના હશે :-(1) અણુબ ઉપર પ્રતિબંધ મૂકવાનું સૂચન કરવું (2) સમગ્ર રીતે યુદ્ધ માત્ર ઉપર પ્રતિબંધનું સૂચન કરવું. (3) પંચશીલને વ્યાપક બનાવવા માટેનું સૂચન (4) સંસ્થાનવાદની નાબુદીનું સૂચન. આ બધા કાર્યક્રમો પાર પાડવામાં સામ્યવાદી સંસ્થાઓનાં સાધનશુદ્ધિમાં ન માનતાં ત ઘુસી ન જાય, અથવા થોડી રાહતના ટુકડા ફેંકી; સંસ્થાનવાદીઓ વિશ્વને ન બનાવી જાય તે માટે સક્રિય તટસ્થતા જાગૃતિપૂવર્ક ભારત ટકાવી રાખે એ જોવું પડશે. આ બધું વિશ્વ વાત્સલ્યના વ્યાપક અને ભગીરથ. કાર્યક્રમમાં આવી જાય છે. પ્રતીતિ થઈ છે: શ્રી પૂજાભાઇ કહેઃ “કલ્પનાથી તે હવે બધું સ્પષ્ટ દેખાય છે અને આ કલ્પના શરૂઆતમાં મૂકનાર મહારાજ શ્રી સંતબાલજીને તો બે અને બે ચાર જેવું પ્રત્યક્ષ દેખાતું હશે. પણ અમારી કક્ષા અને ગજું નાનાં છે. છતાં એ પણ કહી દઉં કે આ કોઈ ઉડતી કલ્પના માત્ર નથી; પણ એ તે વિશ્વભરમાં વહેવારૂ બની શકે તે સીધો. ચોખ્ખો માર્ગ છે; તે પ્રતીતિ હવે પૂરેપૂરી થઈ ગઈ છે. દેશમાં તો હવે આ વિચારે પહોંચી જવાની સીડી તૈયાર થઈ ગઈ. વિશ્વગી. પહોંચવા માટે દુનિયાભરના મુખ્ય મુખ્ય તત્વ ચિંતકો, સેવકો, કિંવા શક્ય હોય તે ધર્મ ગુરુઓ ભેગા થાય અને વિચાર વિનિમય કરે તે. જરૂરી લાગે છે. વિશેષ તો મહારાજશ્રી અને મુનિશ્રી (નેમિમુની). વિચારીને કહી શકે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust