Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ અમલી બનાવામાં વાર લાગશે: શ્રી બળવંતભાઈ મેં અગાઉ ઈશારે કર્યો હતો તેમ (1). નારી અવહેલના (2) અશિક્ષિત બાળક (3) બેકાર માનવી. - આ ત્રણ ભારતની મોટી સમસ્યાઓ છે. નાની તો ઘણી છે. દા. ત. સાચો ન્યાય અમલી બની શકતો નથી, સલામતી નથી, રોગીઓની પૂરી. સારવાર થતી નથી, તે ઉપરાંત ઠંડા ગરમ યુદ્ધો, ભાષાવાદ, રાજ્યનો ભરડો, દાંડ તો, માનવ વચ્ચેની અસમાનતાઓ, ગોવા-કાશ્મીરની સમસ્યા. [ આમાં ગોવાનો ઉકેલ આવી ગયો છે] ધર્મના નામે અંધશ્રદ્ધા, મજૂરોના તન-મનનો ઘસારે. આવા તે દેશમાં અનેક સવાલ છે. વિશ્વમાં એથી પણ વધુ સવાલે પડેલા છે. અલબત ઘેર ઘેરથી વાત્સલ્યની જત પ્રગટે અને એ બધી - જ્યોતનો વિશ્વભર સાથે અનુબંધ હોય, તો જરાયે આ કાર્ય અશક્ય કે વસમું નથી, પણ તે દિવસ કયારે ? મને એક પાંચ-છ વર્ષની મૃત બાળકીને કિસ્સો યાદ આવે છે . કે જ્ઞાતિનાં દબાણથી કઈ તેને મસાણે લઈ જવા તૈયાર ન થયું. અંતે ચલાલા ખાટી કાર્યાલયની મદદે આ કાર્ય પાર પડ્યું.. એવો જ એક બીજો કિસ્સે છે જેમાં બળતી બાઈ ઉપર પતિએ ઠંડુ પાણી ભૂલથી નાખતાં ફેલા પડ્યા. તેમને દરબારે મદદ કરી, પિયરિયાએ પૈસે વહેવડાવ્યો પણ ઇસ્પિતાલોના ફેરામાં રાજકોટ પહોંચતા તે બાઈને પ્રાણ છોડે પડ્યો. આમ આવા વિરોધી વાતાવરણમાં જ્યારે મૂલ્ય પરિવર્તનને ક્રાંતિકારી પ્રશ્ન લઈએ કે વિરોધનો વંટોળ ઊઠે છે. એટલે આખા જગતમાં આ સંદેશાને અમલી બનતાં વાર લાગવાને પૂરો સંભવ છે. પણ તેથી નાસીપાસ થવાનું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust