Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ કે ભાવ 296 (1) સર્જનાત્મક, (2) પ્રતિકારાત્મક અને (3) મૂલ્ય પરિવર્તનાત્મક - સપ્તસ્વાવલંબનના કાર્યક્રમો સર્જનાત્મક પણ છે અને મૂલ્ય પરિવર્તન * 'નાત્મક પણ. ભાલમાં પાણીનું મહાદુઃખ હતું. પાણી જેવી માનવ તથા - પશુની પ્રાથમિક જરૂરિયાતમાં મહાકષ્ટ હોય ત્યારે ધર્મ કે નીતિ શું હોય ? એના ઉપદેશ કરતાં એ કષ્ટ નિવારવું એ જ પ્રથમ ફરજ બને. એટલે ત્યાં જલ–સહાયક સમિતિ બની. કાર્ય તો સંસ્થા દ્વારા વ્યવસ્થિત રીતે શરૂ થયું. પ્રશ્ન એ થયો કે દાતા કોણ? તરત ધનને પ્રતિષ્ઠા આપવી ન હતી એટલે અપીલ થઈ - “ઉપકાર કરવા માટે નહીં, પણ ગામડાના આ ભાંડુઓને અત્યાર લગી આપણે ભોગવી તેવી તો ઠીક પણ સામાન્ય જરૂરિયાતની સગવડ પણ ન અપાઈ તેના પાયશ્ચિત રૂપે કે કર્તવ્ય રૂપે ફાળો આપે !" આથી પૈસાદારની “અમે ઉપકાર કરીએ છીએ” એ ગ્રંથિ તૂટી. ટુંકમાં સહાયતા આવી પણ મૂલ્ય પરિવર્તન સાથે આવી. એ માટે કેટલાક પુણ્ય અને ઉપકારને માનવાવાળા મૂડીદારોનો વિરોધ સહેવો પડ્યો. એવી જ રીતે દુકાળ માટે અમાદાવાદ, મુંબઈ તેમજ સ્થાનિક ભાલનળકાંઠા પ્રદેશના વાસીઓએ જે ફાળો આપ્યો તેમાં મુખ્ય કર્તવ્ય ભાવના રખાઈ, એ સમિતિનું નામ પણ દુષ્કાળ રાહત કમિટિ નહીં પણ દુષ્કાળ કર્તવ્ય સમિતિ રખાયું. વળી જે દુષ્કાળ મટીને સુકાળ થયો એટલે ફરી તે જ પ્રદેશ પાસેથી વળતર રૂપે પ્રતિક ફાળો લેવાયો એને લોકોએ ખુશીથી તે આપો. આમ લેવાની તેવું જ દેવાની સતત કાર્યવાહી આખા સમાજનો અને પરિસ્થિતિનો પલટો કરી નાખે છે. 'સમાજ તાલીમબધ્ધ ઘડાય છે. સહકારી પ્રવૃત્તિ, કેન્દ્રોમાં હોવાથી, પરસ્પરને સહયોગ વધે છે. એવી જ રીતે શુદ્ધિપ્રયોગ અને શાંતિ સેનાના કાર્યક્રમો મુખ્યત્વે પ્રતિકારાત્મક હોવા છતાં, મૂલ્યપરિવર્તનાત્મક પણ છે. આમ સર્જનાત્મક કાર્યક્રમો પ્રતિકારાત્મક બની જાય છે. એ એ જ રીતે મૂલ્યપરિવર્તનાત્મક કાર્યક્રમો પણ સર્જનાત્મક કે પ્રતિકારાત્મક બની જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust