Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ યોગશાસ્ત્રમાં ધારણ” શબ્દ આવે છે, એને અર્થ છે જે વિચાર કે વાત હોય તેને ધારણ કરવી. જે વિચારો આપણે કર્યા, તેની ધારણા નહીં થાય તો તેમાં કચાશ રહી જશે. પછી તે વિચાર કાંતે વિચારકો અથવા વ્યક્તિ વિશેષ સુધીનો જ બનીને રહી જશે. તે સમાજ વ્યાપી નહીં બની શકે. આપણા શરીરમાં દરેક અંગોમાં (પગ, જઠર, સ્નાયુ) બધી શક્તિઓ ધારણ શકિતથી પ્રગટ થઈ ક્રિયાશીલ બને છે. તેમાં જન્માંતરની ધારણું ઉપરાંત આ જન્મને પ્રયત્ન અને બીજાઓનો પણ સહકાર હોય છે. જેમ માતા બાળકની આંગળી પકડે છે અને બાળક ભાની મદદ મેળવી ચાલે છે; તેમ કાંતિકાર પોતાની ક્રાંતિ સમાજવ્યાપી બનાવવા માટે સમાજ આગળ કાર્યક્રમો મૂકે છે, જેથી તનિષ્ઠા વ્યાપકરૂપ ધારણ કરે છે; ઘડાય છે અને નીતિનિષ્ઠા મજબૂત થાય છે. એ માટે ગાંધીજીએ તેર અને વિસ્તારથી ઓગણીશ કાર્યક્રમો દેશની પ્રજા, પ્રજાસેવકો અને કોંગ્રેસ આગળ મૂક્યા. અસ્પૃશ્યતા નિવારણ, સફાઈકામ વગેરે કાર્યક્રમો પ્રારંભમાં લોકોને બહુ આંચકાવાળા લાગ્યા. પણ ધીમે ધીમે લોકો એનાથી ટેવાઈ ગયા. આમ ધારણ શક્તિ પ્રજામાં આવી ગયા પછી જ ધીરે ધીરે ક્રાંતિમય કાર્યક્રમો પચે છે. જેમ શરૂઆતમાં કોઈ માંડ પાંચ શેર વજન ઉપાડી શકે, તે ધારણા–બંધાતા ધીરે ધીરે એક મણ બોજો પણ ઉપાડી શકે છે. તેમ સમાજમાં ઘર ઘાલી બેઠેલાં ખોટા મૂલ્યો દૂર કરવામાં શ્રમ અને સમય અપરંપાર લાગવાને સંભવ છે. એટલે ક્રાંતિકાર જેની સામે ચિત્ર સ્પષ્ટ છે તેને કેટલીક વખત એકલા જ દોડવું પડશે. પ્રારંભમાં તો સાથી ભાઈ-બહેને પણ દલીલ કરશે અને કેવળ શ્રદ્ધાપ્રધાન સાથીઓ જ સાથે ચાલશે, ખેંચાશે અને ધીમે ધીમે સમાજ પણ પાછળ ચાલવા માંડશે. નવા વર્ણો : આજે ચારેય વણ લુપ્તપ્રાય બન્યા છે. તેના બદલે નવા વર્ષે કે વર્ગોની નવી રીતની વિચારસરણી વિચારીએ, એ ઠીક થશે. બ્રાહ્મણ એટલે રચનાત્મક કાર્યકરે, ક્ષત્રિય એટલે કેસરૂપી સંસ્થા, વૈશ્યો એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust