Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ ૨૮ર આવે ત્યાં સુધી વિશ્વશાંતિના પ્રશ્નમાં કશું નક્કર કાર્ય ન થઈ શકે. કેવળ : અહિંસાદિ ધર્મને ઉપદેશ સાધુઓ આપીને બેસી રહે તે ધર્મની " રચનાત્મક સંપૂર્ણતા ન આવે. એવી જ રીતે રચનાત્મક કાર્યકરો કેવળ એમ વિચારે કે સમાજમાં રાહતનાં કાર્યો કરશું અથવા કેવળ હિંદના " અમૂક ગામડાંઓમાં સપ્ત સ્વાવલંબનમાં અમૂક કાર્યો કરશું, તે વિશ્વવાત્સલ્ય કાર્યક્રમ પૂરો થયો. તો એનાથી વિશ્વના પ્રશ્નો ઉકેલાશે નહીં અને વિશ્વશાંતિ દૂરગામી થશે. એના માટે વિશ્વને નજર સમક્ષ રાખીને જ દરેક કાર્યક્રમને સ્પર્શ પડશે. તે સહેજે પ્રશ્ન એ થાય છે કે શું આ આખો કાર્યક્રમ પાર પાડવાની વિધવાત્સલ્યમાં શક્તિ છે? અગાઉ જણાવવામાં આવ્યું તે પ્રમાણે એ દિશા તરફનાં તેના પગલાં સાચાં છે પણ આજની વિષમ પરિસ્થિતિમાં ક્યારે એ ધ્યેયને પહોંચી શકાશે એ કહી શકાય નહીં. સાધુઓને જ લઈએ. એમાંથી કોઈ પણ એક સાધુ આપદ્ ધર્મ તરીકે વિશ્વની દિશામાં ઉપરોક્ત કાર્યક્રમ લે એ બની શકે, પણ વિશ્વના સાધુઓને ધર્મ પરિષદના કાર્યક્રમ હેઠળ એક કરવાનું કાર્ય તો ગજા ઉપરાંતનું લાગે છે. એવી જ રીતે વિશ્વના તમામ રચનાત્મક કાર્ય કરે મળી જાય એ પણ આજે કલ્પનાની વાત લાગે છે. અત્યારે કોંગ્રેસને મહત્ત્વ આપવાનું છે, પણ જે સાધુઓ અને રચનાત્મક કાર્યકરો ભળી જાય તો કાંગ્રેસ કરતાં વિશ્વધર્મની શુદ્ધિ-પુષ્ટિનો વિચાર ત્યારે થશે. * ઉપરની વાતો ઉપરથી કદાચ કોઈ એમ પણ તર્ક કરે કે જે એમ . ન થાય. તો શું કાર્યક્રમ મૂકી દે ? કલ્પનાનું નવું મકાન ન બંધાય એટલે હમણાંનું મકાન પણ મૂકીને નીકળી જવું; એના જેવી એ વાત થશે. જે હાથમાં છે તેને સાથે કરીને–તેને અનુબંધ આપણું કાર્યક્રમ સાથે બેસાડીને આગળ ચાલવાનું છે. ભવિષ્યમાં કદી આ પરલોકમાં થશે , એમ માનીને પરલોક માટે આ લોકને બગાડવાનો નથી કે તેનો અફસોસ કરીને બેસી રહેવાનું નથી. . . એ નથી બન્યું પણ બનવું જોઈએ. તે માટે જ વિચાર થાય