Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 291 ચૂનો ઉપર પ્રભાવ પાડવામાં ટાંચા પડે એવાં છે. યુનેસ્કો આજે યુનોના સંચાલનની નીચે છે; એટલે અને પૂર્વોક્ત પરિસ્થિતિને જોતાં આજે જે સ્થિતિમાં યૂન” છે તે દ્વારા વિશ્વનો અનુબંધ ગોઠવાય તે માટે કેગ્રેસને વિશ્વનું વાહન બનાવવા મથવું જોઈએ. કોંગ્રેસને જ મહત્ત્વ આપવાનું કારણ એટલું જ કે દેશમાં એ એક જ સંસ્થા એવી છે જેની ભવ્ય કારકીદીનો ભૂતકાળને ઈતિહાસ છે. બાપુ દ્વારા સત્ય અને અહિંસાની દિશામાં ઘડતર અને દોરવણી જેને મળેલ છે; પંડિત નેહરૂ દ્વારા, એની મારફત આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં શાંતિ અને પંચશીલની વાત અમલમાં મૂકાવવાની વાત થાય છે. આ બધું જોતા વિશ્વ-એકતાનું વાહન તે બની શકે એમ છે. કોગ્રેસમાં વાસ્તવિકતા છે. નક્કર કાર્યક્રમ પણ એની પાસે છે, માત્ર એની શુદ્ધિપુષ્ટિ કરવાની જરૂર છે; જનસંગઠનો અને જનસેવક સંગઠન દ્વારા થાય એ જ બરાબર છે. વળી પાછું એકવાર યાદ અપાવી દેવું ઠીક થશે કે “વિશ્વમાં શાંતિ પ્રસરે તે માટે કઈ કઈ સંસ્થાઓ કેટલું કામ કરી શકે? અને તેવી સંસ્થાઓની પસંદગી શા કારણે કરી શકાય ? તેના સંદર્ભમાં આ વિચારણું થઈ છે. આ બધાં સંગઠનો-સંસ્થાઓ પાસે વિશ્વશાંતિ તરફ ગતિ કરવાની શક્તિ છે એનો વિચાર થઈ ચૂક્યો છે. વિધવાત્સલ્ય શું કરી શકશે: વિશ્વ વાત્સલ્યના આ કાર્યક્રમો આખી દુનિયાને તરત બદલી શકશે એમ કહેવું વધારે પડતું થશે. તે કેંગ્રેસને પણ બદલી શકશે કે કેમ એ પણ ચક્કસપણે ન કહી શકાય. પણ, એનાં પગલાં સાચી દિશામાં છે એટલે આ ચાર કાર્યક્રમો આશાસ્પદ છે. આ કાર્યક્રમો દ્વારા સત્ય અને અહિંસા પ્રગટ થઈ શકશે. આની સાથે એ પણ ન ભૂલાવું જોઈએ કે જ્યાં સુધી વિશ્વની દષ્ટિએ ધર્મની (અહિંસા, સત્ય ન્યાયની) એ દરેક પ્રશ્નને ન સ્પર્શવામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust