Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 274 વિશ્વવાત્સલ્યને વહેવડાવવું હોય તો સંતાનોને કેમ છોડાય ? એ જવાબદારી ઉપાડી અને થોડો સંગ્રહ કરતા, દેખાદેખીએ વધુ સંગ્રહ થયે. કે અગાઉ સાર્વજનિક કાર્યોમાં સંગ્રહ, કાંઈ પણ કામ પ્રસંગે તરત વપરાઈ જતો પણ ધીમે ધીમે તે વધુ થવા લાગ્યો. આમાં પણ સારાં કપડાં, દાગીના, મકાન, સામાજિક ખર્ચ વગેરેમાં હરિફાઈઓ થવા લાગી. પરદેશને બહુ ચેપ ન હતો ત્યાં લગી મર્યાદા કાંઈ કેય રહેતી, પણ પછી તો પરિગ્રહ વધ્યો. એક ઠેકાણે ટેકરો થાય તે બીજે ઠેકાણે ખાડો પડે જ! જેમ જેમ ખાડો વધવા લાગ્યો કે નીતિના બંધ ઢીલા પડવા લાગ્યા. ચોરીનાં પણ સાધને મેળવવાં અને ભેગવવાં એવી વૃત્તિ જાગી. બુદ્ધિવાળા દિન દહાડે અને ઓછી બુદ્ધિ વાળાં દાંડ તો રાત્રે લૂંટવા લાગ્યા. જ્યાં પરિગ્રહ ન હોય ત્યાં કોણ સંધરે અને કોણ ચોરે? બાકી આજે તો પરિગ્રહની લાલસાએ માઝાજ મૂકી દીધી છે. ખુદ એક અપરિગ્રહી સાધુ જે ધર્મના ધુરંધર ગણાતા, અને જેઓ ધર્મ નિસર્ગ, નિર્ભરતા અને અપરિગ્રહની અવધિરૂપ ગણતા, તેઓ વીસ હજાર રૂપિયા આડકતરી રીતે. પિતીકારૂપે ફેરવતા હતા, આ સાંભળીને આપણે દિંગ થઈ જઈએ છીએ અને દુઃખ પણ ખૂબ થાય છે. આ દાખલો આપવાનું કારણ એટલું જ કે સમાજમાં પરિગ્રહને સડો કેટલો ઊંડો ગયો છે. આથી જ વિશ્વાત્સલ્યના પ્રચારક સાધક - સાધિકાએ ઝીણી ઝીણી વાતોને પરિગ્રહ છોડીને માલિકી હક મર્યાદાને વિચાર કરવો પડશે. શ્રી દેવજીભાઇએ ત્યાર બાદ પિતાની નજીકમાં રહેતા એક કુંભારકુટુંબને દાખલો આપ્યો હતો. ગરીબી કે તંગીમાં દેખાદેખીથી કેવી રીતે દૂષણ પેસે છે તેનું બયાન રજૂ કર્યું હતું. અને તેમાં થોડીક છત થતાં; ચહેરા કેવા ખીલી ઊઠે છે તેને પણ અનુભવ રજૂ કર્યો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust