Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ [13] વિશ્વવાત્સલ્યના કાર્યક્રમો [16-10-61] શ્રી દુલેરાયભાઈ માટલિયા - વિશ્વ વાત્સલ્ય, તેની ભાવના, તેની નિષ્ઠા તેમ જ વ્રત અંગે અત્યાર અગાઉ વિચાર થઈ ચૂક્યો છે. પણ એને અમલમાં મૂકવા માટે કાર્યક્રમ પણ હેવો જરૂરી છે. અહીં તે ઉપર વિચાર કરવાનો છે. દરરોજ ( વિશ્વવત્સલ સંઘની) પ્રાર્થનાને અંતે - સર્વથા સૌ સુખી થાઓ, આ સમને સા સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.” –એ ચાર સૂત્રો બોલવામાં આવે છે. એમાં વિશ્વવાત્સલ્યને આ કાર્યક્રમ આવી જાય છે. તે કેવી રીતે તેને વિચાર કરીએ. કાર્યક્રમ પ્રથમ– બધા પ્રકારે બધા સુખી થાઓ " આ પહેલા કાર્યક્રમ છે. દાઢની અંદર તિરૂં હોય ત્યાં લગી જીભ અડયા કરે અને તેના ઉપર ફર્યા કરે તેમ જ તે નીકળે ત્યારે જ સંતોષ થાય; ચેન પડે. આંખમાં કણું પડયું હોય ત્યાં સુધી સંતોષ થતો નથી, તે નીકળેથી જ સંતોષ અને સુખ થાય છે. એવી જ રીતે જ્યાં સુધી દેહધારીને દેહનું દુ ખ હેય ત્યાં સુધી, એને ભગવાનનું નામ પણ સારું ન લાગે અને ભજન પણ વસમું લાગે. આ અંગે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust