Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 273 ન ઈચ્છે પણ દિકરીને પરણાવવાની હેય તે એને કંઈને કંઈ આપવાને વિચાર સહેજે આવે. એવી જ રીતે બાળકો માટે ઘરને વિચાર આવે. ત્યાં ખેડૂતોએ દશ વીઘાની વાડી આપી. મેં કહ્યું: “હું ખેડૂત રૂપે ધંધાદારી બની શકે નહીં. એટલે એ સંસ્થાની રહેશે. મકાન પણ બાળકોને રહેવા માટે, વેચવા માટે નહીં.” ટુંકમાં મકાન વેચવાની કે ભાડે આપવાની પ્રક્રિયા નહીં. વ્યાજ વટાવને ધંધે નહીં. કમાવા માટે ફાંફાં મારવાના નહી; આમ જે કુદરત નિર્ભરતાને મુખ્ય રાખવા છતાં પોતાની કક્ષા પ્રમાણે ઓછું લેવું અને વધુ આપવું એ રીતે પ્રમાણિક ધંધામાંથી આજીવિકા મેળવે અથવા એ જ પ્રામાણિક સેવા-વ્યવસાય પસંદ કરી, પિતાની જાતને આ રીતે જોડે તો કશા પણ વ્રત-પચ્છખાણ કે ત્યાગના નિયમના ભાર વિના માલિકી હક મર્યાદા આવી રહે છે. - આ મારો જાત અનુભવ મેં કહ્યો છે. એવી જ રીતે સૌ પિતપિતાની મર્યાદા વિચારી લે એટલું જ વિનમ્ર સૂચન છે. પરિગ્રહી વૃત્તિને ઇતિહાસ: શ્રી પૂજાભાઈ એ સંઘર-પરિગ્રહ કેમ થયો તેને ઈતિહાસ રજૂ કરતાં કહ્યું - એવું લાગે છે કે પ્રથમ માનવી કુદરત પર જ જીવતો હશે. પણ, કુદરતમાં ખાડા - ટેકરા આવ્યા, દુકાળ વગેરે આવ્યા અને શ્રદ્ધા ઢીલી પડી ગઈ. બીજી બાજુ સાથની તે સ્ત્રી - પુરૂષને જરૂર હતી, છે અને રહેવાની પણ, કાયમ સાથે રહી સાધના કરતાં વિકાર વાસના સામે નરનારીએ ઘણાં કંદો ખેડતાં, બન્નેમાંથી એક કે બન્ને હાર્યા હોવા જોઈએ. તેમાંથી લગ્ન સંરથ ને જન્મ અને વિકાસ થયો.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust