Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 254 એટલે મર્યાદા વધારે વહેવારૂ અને વિશ્વવ્યાપી બની શકે, એ ચર્ચાઈ ગયું છે. એ સાથે માલિકી હક વિસર્જન બધા ન કરી શકે અને એ વાત અવહેવારૂ તેમજ અદ્ધર રહે. વિશ્વ વાત્સલ્ય સાથે માલિકી હક મર્યાદાનો સંબંધ :- - વિશ્વ વાત્સલ્ય સાથે વળી માલિકી હક-મર્યાદાને શું સંબંધ હોઈ શકે? એવો એક પ્રશ્ન ઊભો થઈ શકે છે. તે અંગે ઊંડાણથી વિચાર કરતાં જણાઈ આવશે જ્યાં વિશ્વના સમસ્ત છે પ્રતિ વાત્સલ્યની દષ્ટિ હોય -ત્યાં કોઈ પણ પ્રવૃત્તિથી વિશ્વને દુઃખમાં પડવું પડે કે વિશ્વની પ્રજાને કષ્ટ પડે એવું ન થવું જોઈએ; એનો ખ્યાલ રાખવોજ પડે. અમર્યાદિત પરિગ્રહ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર માટે બન્ને રીતે દુઃખ લાવનારૂં છે એ અગાઉ ચર્ચાઈ ગયું છે. કારણ કે જ્યાં વધારો છે ત્યાં સંરક્ષણ, ચોરી વગેરે પ્રશ્નો છે અને જ્યાં અભાવ છે ત્યાં ભૂખ, દુઃખ અને તત્વજનિત બધાં પ્રકારનાં અનિષ્ટ છે. એટલે વિશ્વ વાત્સલ્યના સાધકના જીવનમાં પરિગ્રહ ઉપર મર્યાદા કે અંકુશ રહેવો જોઈએ. તેના વધારાના સંગ્રહથી બીજાને એ વસ્તુ ન મળવાથી દુઃખમાં સપડાવું જ પડશે. ' ' . . . . ' - આ માટે એક માતાને દાખલો લઈએ. જેમ માતા થોડાં સાધનોથી કરકસર કરીને પણ પિતાનું ચલાવી લે છે; પિતાના આત્મીયોને વધારે મળે અથવા તો પૂરેપૂરું પોષણ મળે એમાં રાજી થાય છે. તેવી જ રીતે વિશ્વવત્સલ સાધકે જાતે ભૂખે રહીને, ઓછું મળવાથી, ઓછાં સાધને પામીને અને કરકસર કરીને ચલાવી લેવાની ટેવ પાડવી જોઈશે. અને સાથે જ જગતને પૂરતું પોષણ મળે એ દૃષ્ટિ પણ તેણે રાખવી પડશે. આમ થતાં જગતને પૂરું મળે છે તેનો આનંદ પામવાની પિતાની વૃત્તિ કેળવવી પડશે. એની એ દષ્ટિ વ્યાપક બનશે અને તેણે એ પણ જેવું પડશે કે જગતમાં અમુક રાષ્ટ્ર પાસે વધારે સંઘરે છે અને બીજાને ત્યાં અછત છે; તો એવા અછતવાળા અભાવથી પીડિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust