Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ રિપ૭ પતિએ વિચાર કર્યો કે જિનદાસ શેઠ સામાયિક કરવા જાય ત્યારે તેમનો સોનામહોરને હાર ચોરી લઉં તો ? હાલઘડીએ એના રૂપિયા પિદા કરી ધધો કરૂં અને મૂડી થતાં વ્યાજ સાથે પાડે આપી દઈશ તે એમાં જિનદાસ શેઠને કઈ પણ નુકશાન નહીં થાય; મારૂં પણ કામ બની જશે. સરોવરમાંથી એક ટીપું ઓછું થયું તે શું ? કોને ખબર પડશે ? ઈચ્છા ન હોવા છતાં પરિસ્થિતિના કારણે લાચાર બનીને જિનપાળ ન કરવાનું કરવા માટે પ્રેરાયો ને ઉપાશ્રયે ગયો. તેણે જિનદાસ શેઠને ઉપાશ્રયમાં જતા, ડગલો ઉતારતા અને સે નામહોરને હાર મૂકતા જોયા. શેઠ સામાયિક કરવા માટે ગયા. જિનપાળનું હૃદય ધડકવા લાગ્યું. તે અચકાતા મને, ડગલાં ભરતો ભરતો ડગલો હતો તે જગ્યાએ ગયા. આસપાસ જોયું તો કોઈ ન હતું. ડગલામાં હાથ નાખ્યો અને હાર કાઢીને પિતાના કપડામાં છુપાવીને જિનપાળ ઘરે આવ્યો. પત્નીને હાર કાઢીને દેખાડ્યો. પત્નીને તેથી દુઃખ થાય છે પણ તે જિનદાસને ત્યાં હાર ગિરો રાખવાની તેને સલાહ આપે છે. જિનપાળનું હૃદય માનતું ન હતું. તે છતાં તે જે થાય તે ખરૂ. એવા વિચાર કરીને જિનદાસ શેઠને ત્યાં જવા માટે ઉપડે. - જિનદાસ શેઠ સામાયિક પૂરું થતાં કપડાં પહેરે છે. હાર માટે ખિસ્સામાં હાથ નાખે છે તો તે ન મળે! બહુ જ તપાસ કરી કે કયાંક આડા-અવળો મૂકાયો હોય તો મળી જાય, પણ હોય તો મળેને? ઘરે આવીને પૂછપરછ કરી પણ હારને પત્તો ન લાગ્યો. હાર કયાં ગયો હશે એવા વિચારમાં શેઠજી બેઠા હતા કે જિન પાળ ત્યાં આવ્યો અને હાર ગિરો મૂકવાની તેણે વાત કરી. હાર જોતાં જ શેઠને થયું કે “આ હાર તો મારો! તે છતાં તેમણે ઊંડો વિચાર કર્યો કે “આને ચોરનાર અને ફરી મારે જ ત્યાં આવીને ગિરો મૂકવા આવનારે ગરીબીના કારણે ભલે અકૃત્ય કર્યું હોય પણ તેની નિષ્ઠા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust