Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 258 સાચી લાગે છે.” તેમણે લાવનાર તરફ જોયું અને ઓળખી કાવ્યો કે તે એમના મિત્રને દીકરે છે. તેની આવી હાલત જોઈને શેઠને થાય છે કે આ બીચારાની આવી પડતી દશા થઈ છતાં મેં તેનાં તરફ ધ્યાન ન આપ્યું અને અને આ પરિણામ આવ્યું એટલે હવે ભારે બાજી સુધારી લેવી જોઈએ ! . * તેમણે જિનપાળને કહ્યું: “તમે હાર ગિરે રાખ્યા વગર પણ આ દશ હજાર રૂપિયા લઈ જાવ !' " પણ જિનપાળે કહ્યું કે “ના મારે હાર ગિરે રાખો જ છે !" એટલે શેઠે હાર રાખીને દશહજાર રૂપિયા આપ્યા; તેમણે એક શબ્દ 'પણ ન કહ્યો. તેના ગયા બાદ પિતે ધ્યાન ન રાખ્યું તે અંગે તેમને પસ્તાવો થ જિનપાળે તે દશહજારમાંથી ધંધો શરૂ કર્યો. આ વખતે તેને સારી પેઠે કમાણી થઈ. એટલે તેણે રૂપિયા પાછા કરવાનું નક્કી કર્યું. તે એક દિવસ વ્યાજ અને મૂડી લઈને શેઠની દુકાને ગયો અને રકમ ચૂકતે કરી દઉં છું” એમ કહ્યું. શેઠે વ્યાજના પૈસા ન લીધા અને તેમણે ગિરે રાખેલ હાર પાછે આપવા માંડ્યો. '' '. ત્યારે જિનપાળે કહ્યું : “શેઠજી ! આ હાર તે આપને છે, મેં લાચારીથી આ હાર ચોર્યો હતો. આપે તે જોઈને પણ મારા પ્રતિ અવિશ્વાસ ન પ્રગટ કર્યો. એનું જ આ પરિણામ છે, કે હું આજે પગભર થઈ શક્યો છું. મારી પાસે મૂડી પણ થઈ ગઈ છે, એટલે આપે વ્યાજ તે લેવું જ જોઈશે !" : શેઠ કહે: “આ હાર મારો ર નથી. મારે એક ભાઈ લાચારીએ આવું કૃત્ય કરવા પ્રેરાય, એમાં મારે જ મુખ્ય વાંક છે. એના પ્રાયશ્ચિત રૂપે આ હાર હું તમને આપું છું. આ તમારે જ છે એમ માનજે. બંધુઓ પાસે વ્યાજ લેવાય નહીં !" . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust