Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ છે તેની વિચારણા થઈ ગઈ છે. પરિગ્રહને, ન તો ધર્મ સંમતિ આપે છે ન સમાજવાદ કે વિચારધારાએ સંમતિ આપે છે કે ન તો રાજ્ય તેને પ્રતિષ્ઠા આપે છે. આ એક નિતાંત સત્ય છે. તે ઉપરાંત બધાએ સ્વીકારે છે કે ધન મેળવવામાં, સાચવવામાં અને વાપરવામાં દુઃખો જ મળે છે; અને તે આ જીવન પછી તે સાથે રહેતું નથી છતાં લોકમાનસમાં એને જે બેટું મહત્વ અપાઈ ગયું છે તે દૂર કરવું જ રહ્યું. - સૂત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે માણસ પોતાના પરિગ્રહ ઉપર અંકુશ ન મૂકે અને મોટાં મોટાં આરંભ અને હિંસક ધંધાઓ કરે તે સાચા ધર્મને પામી શકતો નથી. એટલું જ નહીં તે સાચા ધર્મનું શ્રવણ પણ કરી શકતો નથી. ઠાણાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે - - "दोहि ढाणेहि जीवो केवलिघण्णत्तं धम्मं न लमेज 1. सवणयाए तंजहा महारंभेण चेव महापरिग्गहेण चेव"' –એટલે કે બે કારણોથી છવ કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરીને પામી શકતો નથી; મહારંભ અને મહા પરિગ્રહ દ્વારા. એક વસ્તુ તો ચોક્કસ છે કે મહારંભ અને મહાપરિગ્રહમાં રચ્યાપચ્યા રહેતા લોકોને પહેલાં તો એટલો સમય જ મળતો નથી કે તેઓ ધર્મશ્રવણ કરી શકે. કદાચ શ્રવણ કરે છે કે તેના ઉપર રૂચિ ચવી મુશ્કેલ છે; અને રૂચિ થઈ તો પણ તેને અમલ તે કરી શકતો નથી. મહાપરિગ્રહી કે મહારંભી હોય તે આત્માની વાતો કરી શકશે નહીં. દ્રવ્યગુણ પર્યાયની ચર્ચા કરી શકશે નહીં અને જે તે આત્માજ્ઞાની કે સમ્યકત્વી હોવાની વાત કરે તો તે પિતાની છેતરપીંડી સાથે - બીજાની સાથે પણ બનાવટ છે. '' જ્યાં નીતિ નથી, મર્યાદા નથી, જરૂર ઉપરાંતની સંપત્તિ અને સામગ્રી છે તેના ઉપર મર્યાદા કે ટ્રસ્ટીપણાને જરાપણ વિચાર નથી ત્યાં અધ્યાત્મ કે ધર્મ ક્યાંથી હોઈ શકે ? સરકારી કાયદા પ્રમાણે ભલે કોઈને માલિકી હક મળી જતો હોય તો પણ ધર્મના કાયદા એને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust