Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ દ્રુપ "ii બીજાના ઉપયોગમાં લેવાનું સૂચવવામાં આવે છે. ખરું જોવા જઈએ તો મહાપરિગ્રહી લોકો સમાજમાં વિષમતા ફેલાવે છે. સમાજવ્યવસ્થાને ચૂંથી નાખે છે. અને નરકમાં જવાના અધિકારી બને તે પહેલાં આ જગતને નરક જેવું બનાવી દે છે. બીજી બાજુ સામ્યવાદી લોકો આવા પૈસાદારને મારી મેથીને, હિંસા દ્વારા આર્થિક વિષમતા દૂર કરવા પ્રયત્ન કરે છે. પણ તે સ્થાયી ઉકેલ નથી. એટલા માટે જ વિધવાત્સલ્યમાં અહિંસા દ્વારા વેચ્છાથી અને એક વ્યક્તિ સ્વેચ્છાથી ન સ્વીકારે તે સામુદાયિક રીતે માલિકી હક મર્યાદા ની વાત કરવામાં આવી છે. કોઈ ગરીબ કે કોઈ તવંગર કદિ એમ નથી ઈચ્છતા કે સમાજ વ્યવસ્થા બગડે, વિષમતાના કારણે હિંસા ફાટી નીકળે, અસંતોષ અને સંઘર્ષ ચાલે ! ધનિક જે પોતે ગરીબાઈમાં મૂકાઈ જાય તો તેને ખ્યાલ આવી શકે કે ગરીબના દુઃખ શું છે ? માનસિક અશાંતિ શું છે? ગરીબની લાચારી અને તેના કારણે અનીતિ તરફ જવાનું ખરૂં કારણ શું છે ! કોઈ પણ ધનવાનને પૂછશે તો તે પણ હૃદયથી એમ જ કહેશે કે “આ અનિષ્ટો ચાલવા નહીં જોઈએ. સમાજમાં સુખ અને શાંતિ જોઈએ.” તે આ વાતને સારી રીતે જાણતો અને માનતા હોવા છતાં સમાજમાં અશાંતિ, વિષમતા અને દુઃખના મૂળ કારણ માલિકી (પરિગ્રહ)ની વૃદ્ધિને દૂર કરી શકતો નથી; તેને સ્વેચ્છાએ છેડી શકતો નથી. સરકારી કાનૂન કે સામ્યવાદ દ્વારા પરાણે છોડવામાં હિંસા અને અનીતિના દોષો ઉદ્દભવે છે, એટલે જ સ્વેચ્છાએ ત્યાગ કરવાને ધર્મ, સમાજ અને રાજ્ય ત્રણે ઉત્તમ ગણે છે, જે સ્વેચ્છાએ ત્યાગ કરે છે તે ધર્મ ગણાય છે. તેથી તેના મનમાં પ્રસન્નતા અને શાંતિને અનુભવ થાય છે અને સાથે જ સમાજમાં અનીતિ અને હિંસાના દેષો દૂર થાય છે, પેદા થતાં નથી. માલિકી હક મર્યાદાનું બીજું પાસું : શાંતિ જોઈએ.” તે આ રમતા અને દુઃખના છોડી શકતે લઈએ. કેટલીવાર એવું બને છે કે એક વ્યક્તિ જાતે માલિકી કહા P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust