Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 238 જુદા જુદા સંપ્રદાય પણ એકબીજાને ઉતારી પાડતા હોય છે. એ બરાબર નથી. એથી સત્યશ્રદ્ધાવ્રતમાં દોષ આવે છે. દરરોજની વિધવાત્સલ્યની પ્રાર્થનામાં કહેવામાં આવે છે - “દેશના શિષ્ટાચાર વિકાસ માટે નહિ નડતા.” દેશના કે વેશના કોઈ પણ શિષ્ટાચાર વિકાસને બાધક ન બની - શકે; એમાં જે સત્ય છે તેના ઉપર શ્રદ્ધા રાખવી. પણ તે તદન ખોટી છે એમ વગર વિચારે કહી દેવું એ ખોટું છે. એમાથી જે સિદ્ધાંતમાં બાધક હોય તે અંગે વાંધો હોઈ શકે, પણ સિદ્ધાંતમાં બાધક ન હોય અને કેવળ પૂર્વગ્રહથી પ્રેરાઈને એ આચાર-વિચારને ખોટા કહેવા એ સત્યશ્રધ્ધામાં બાધક છે. જે એ આચાર-વિચાર સર્વ ‘હિતકારી-સત્યમય ન હોય, સામાજિક વિકાસમાં અવરોધક હોય, ઘાતક હોય, દંભવર્ધક હોય કે અનિષ્ટકારક હોય તો તેમાં જરૂર - સુધારે-વધારે સૂચવી શકાય, કહી શકાય કે તેને સમૂળું બદલાવી શકાય. * સત્ય-શ્રદ્ધામાંથી બીજી એક વસ્તુ એ સૂચિત થાય છે કે ઉપરના ખોખાને ન જોવું. પણ અંતરનું તત્ત્વ જે સત્ય હોય તેને જેવું. ઘણી વાર એવું બને છે કે અમૂક ધર્મો, દેશ અને વેશોના ઉપરનો ખોખાને જોઇને તેના તરફ લોકો ધણા કરવા માંડે છે અને તેને ખોટું બતાવવા લાગી જાય છે. એના હાર્દ–અંતરમાં રહેલ સત્ય કે તત્વ જોતાં નથી. એક હિંદુ માતામાં જે વાત્સલ્ય છે, તે જ વાત્સલ્ય ભાવ મુસ્લિમ, હરિજન, કે ઈસાઈ માતામાં પણ હોય છે. પણ મુસ્લિમ કે હરિજન માતાને જોઈને તિરસ્કાર કરે છે કે એની સાથે સંપર્ક રાખવામાં નાનમ સમજે છે. આ સત્યશ્રદ્ધામાં કચાશ છે. . શું સત્ય, અહિંસા, વાત્સલ્ય. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ઉપર કોઈ એકની છાપ કે મહેર લાગેલી છે ? આ હિંદુનું સત્ય કે આ મુસલમાનનું ? આ જૈનેની અહિંસા કે આ બૌદ્ધોની ? એવું નથી.