Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 235 કારણ છે, એ જરૂર વિચારણીય પ્રશ્ન છે. એટલું જ નહીં આજે આ બધા ધર્મના અનુયાયીઓ ખાસ-પડોશમાં રહેવા છતાં, તેઓમાં એક-- બીજાની સાથે સ્નેહભાવ, એકબીજાના ધર્મ પ્રતિ જિજ્ઞાસા કે આદરભાવ દેખાતા નથી. ઊલટું, ખંડન–મંડન, દેવ-ઘણાની ભાવના એ લોકોમાં એકબીજા પ્રત્યે હોય છે. આથી સત્યમાં–(સર્વ ભૂત હિત તવમાં ) પણ અસત્યને પ્રવેશ થાય છે. એમાં બીજા ધર્મોના તને જાણ્યા વગર, વિચાર્યા વગર, માત્ર ઉપલક ક્રિયાકાંડ જોઈને નિર્ણય બાંધવામાં આવે છે કે અમારા ધર્મ સિવાય બીજા બધા ધર્મો ખોટા છે; કાંઈપણ. સત્ય કે તથ્ય તેમાં નથી. આ સત્યના આગ્રહીની રીત નથી; એ તો સત્ય વ્રતમાં દોષ છે. એટલે આ બધો કે ખંડન અથવા મમત્વ કે મંડન દૂર કરવા માટે એક જ ઉપાય છે કે દરેક ધર્મને તેની સ્થાપનાના કાળ, લોકપરિસ્થિતિ તેમજ લોકમાનસને નજર આગળ રાખીને જોવા જોઈએ. જગતના બધા ધર્મો માનવસમાજની ભલાઈ માટે આવ્યા છે. લોકોના દુઃખને દૂર કરવાની ચિકિત્સા જેવું જ તેમનું નિદાન છે. એટલે ગમે તે પદ્ધતિથી–ધર્મવિચારણા અને વિધિથી દુઃખ દૂર કરવાની ચિકિત્સા થઈને રોગ મટવે જોઈએ અને દેષ નાબૂદ થવા જોઈએ. - જે કોઇ ડોકટર એવો દાવો કરે કે કેવળ મારી દવાથી જ રોગ. મટશે, અથવા દર્દી એમ માની બેસે કે અમુક ડોકટરની દવાથી રોગ, ભટશે અને બીજા ડેકટરની દવાથી નહીં મટે; તો એ વસ્તુ બરાબર નથી. એક ગામમાં એક માણસ બહુ જ માંદે રહેતો હતો. ત્યાં એક ડોકટરને તેડવામાં આવ્યું પણ તેના ઇલાજથી દદ સારો ન થયો. એટલે એક પ્રાકૃતિક ચિકિત્સક વૈદ્યને, એક એલોપથિક ડોકટરને, એક હોમિયોપેથિક ડોકટરને એક બાયોકેમિક ડોકટરને, એક યુનાની હકીમને: --આમ દવાના પ્રખ્યાત નિષ્ણાતોને તેડાવવામાં આવ્યા. ' - તે બધા આવ્યા. રોગીને તપાસ્યા પછી સહુ પિત પિતાની. ચિકિત્સા પદ્ધતિની પ્રશંસા કરવા લાગ્યા; અને એક બીજાની નિંદા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust