Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ [૧૧]વિશ્વવાત્સલ્યમાં સત્ય શ્રદ્ધા વ્રત 2-10-61 મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વવાત્સલ્યના ત્રણ મૂળ વતામાં પહેલું બ્રહ્મચર્યવ્રત છે. તેના 'ઉપર અગાઉ વિચાર થઈ ગયો છે. હવે તેના બીજા મૂળવંત “સત્યશ્રદ્ધા” ઉપર વિચાર કરવાનું છે. આમ તે સત્ય અગે ઘણું ઘણું કહેવામાં આવ્યું છે. પણ, આજે એક નવાજ દૃષ્ટિકોણથી એ ઉપર વિચાર કરવાનું છે. ' ' , ' ' , વિશ્વ વાત્સલ્યનો સત્યશ્રદ્ધા સાથે બહુ જ નિકટ સંબંધ છે. બ્રહ્મચર્ય જેમ વિશ્વ વાત્સલ્યનું એક મૂળવત છે. મૂળભૂત અંગ છે તેમ સત્યશ્રદ્ધા પણ એક મૂળભૂત અંગ છે. . '' - એક માતા બાળક ઉપર ખૂબ વાત્સલ્ય રાખે છે, પણ જ્યારે ન્યાયને કે સત્યનો પ્રશ્ન આવે ત્યાં નિષ્ફર પણ થાય છે. કારણકે જે તે વખતે તે કડક કે નિધુર ને બને તો બાળકના જીવનને સાચો વિકાસ અટકી જાય. એવી જ રીતે સત્યનો સાધક, વિશ્વપ્રત્યે વાસલ્ય રાખશે. પણ જ્યાં ન્યાય પ્રશ્ન આવશે. સત્યનો સવાલ આવશે ત્યાં મક્કમતા રાખશે, બહારથી જોનારને કદાચ એ નિકુરતાયે લાગે પણ, ખરું જોતાં તે વખતે તે સત્યને આગ્રહ ન રાખે તો વ્યક્તિગત અને સામાજિક વિકાસ ન થઈ શકે. '' - વિશ્વ વાત્સલ્યમાં સમન્વય કરવાની અને એયને લક્ષ્યમાં રાખી બધાયને તે રીતે જોડવાની વસલ્ય દૃષ્ટિ રાખવામાં આવી છે. તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust