Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 231 બીજાએ કહ્યું : “તું ખોટું કહે છે. હાથી તે થાંભલા જેવો છે.” " ત્રીજાએ કહ્યું : “હાથી તો સૂપડા જેવો છે! " : : ' ચોથાએ કહ્યું: “નથી સૂપડો કે નથી થાંભલો, એ તે રાંઢવા જેવો છે.” આ પાચમાએ કહ્યું : “વાહ ભાઈ વાહ તમે તે ઠીક હાંકયું ! અરે હાથી તે ત્રિશૂળ જે છે.” ત્યારે છઠ્ઠીએ કહ્યું: “ભાઈ મને તો એ દંડા જેવો લાગે છે.” . . સાતમાએ કહ્યું: “દડે શું વાત કહે છે? એ તો દડા જે લાગે છે દડા જેવો !આમ સાતે જણા પોતપોતાની માન્યતાને સાચી ઠરાવવા માટે બીજાના મતને છેટે ઠરાવવા લાગ્યા અને વિવાદ કરવા લાગ્યા. એવામાં એક સૂઝવાળો અને સમજુ માણસ ત્યાં આવ્યો. તેણે કહ્યું : “તમે બધા એક એક અંશે સાચા છે પણ સર્વાંશે સાચા નથી. તમે તમારા એક અંશને મુખ્યરૂપે અને બાકીના અંશને ગૌણરૂપે પ્રતિપાદન કરશો તે તમે સત્યને પામી શકશે.” એમ કહી તેણે દરેકને તેમની પોતાની માન્યતા અંગે સમજાવ્યા. એટલે બધાએ કબૂલ કર્યું કે અમે જે અંગને પકડ્યું હતું તેને જ સાચું માનીને હાથી અંગે પ્રતિપાદન કરતા હતા. પણ ખરેખર બધાયે અંગે મળીને વિચાર કરીએ તોજ સર્વાશે સત્યને પકડી શકીએ. " 'આ સત્ય શું છે? તે અંગે મૂળવંતોની વિચારણા કરતાં કરવામાં આવી છે કે તત્ત્વ, વિચાર, વાણી તેમજ બીજા સાધનો અને મન, વચન, કાયા દ્વારા થતી પ્રવૃત્તિઓમાં સર્વભૂત હિતરૂપ વિચાર અને આચાર એ સત્ય છે. વિશ્વ વાત્સલ્યનું સત્ય તો સર્વે જગતના છના હિત માટે વાત્સલ્ય રસને વહેવાડવો એટલે કે તેમનું કલ્યાણ થાય એ રીતે મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ કરવી એ છે. આ પ્રવૃત્તિઓને સત્ય. નામ આપવા સાથે વ્રત આયોજનમાં શ્રદ્ધાને પણ સાથે જોડવામાં આવી છે. એને અર્થ એ છે કે સર્વભૂત હિતરૂપ પોતાના સત્યને જેમ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust