Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 195 એવાં હોવાં જોઈએ. અર્થાત તે વહેવારમાં આચરી શકાય તેવાં હોવાં જોઈએ. (3) તે વ્રતોમાં ધર્મનિષ્ઠા વિરૂદ્ધના તો–દંભ, ધૃણા, પ, ભેદભાવ વ. ન પ્રવેશવાં જોઈએ. એટલે કે તે વ્રતો વિકાસઘાતક, દંભવર્યા સિદ્ધાંતવિરુદ્ધ ન હોવાં જોઈએ. ધર્મવર્ધક કે પોષક હોવાં જોઈએ. આ ત્રણેય મુદ્દાઓને જરા વિગતવાર જોઈ જઈએ એ ઠીક રહેશે. મહાત્મા ગાંધીજીએ જોયું કે ભારત પરતંત્ર છે. એનાં કારણોમાં સ્પૃશ્યાસ્પૃશ્ય (છૂતાછૂત)નો ભેદભાવ છે; લોકોમાં સાચા વીરની અહિંસક નિર્ભયતા નથી રહી, પોતાના દેશ અને ગામડામાં બનેલી વસ્તુઓને વપરાશ-વહેવાર ભૂલાયો છે; તેથી લોકો રોજી અને રેટીબન્નેના અભાવે ભૂખે મરે છે. ધર્મ અને સંપ્રદાયના નામે દેશના ટુકડા થઈ રહ્યા છે. યંત્રે આવતાં શરીરશ્રમ ઓછો થયો છે અને પરતંત્રતા વધી રહી છે, સ્વાદલોલુપતા (પાંચે ઈંદ્રની) વધતી જાય છે તેના કારણે પ્રજા માયકાંગલી બનીને વિલાસિતા તરફ ઘસડાઈ રહી છે. એટલે એમણે જે ઉપવ્રતો સ્વદેશી, અસ્પૃશ્યતા નિવારણ વગેરે આવાં તે બરાબર હતાં તે યુગદષ્ટિએ ગ્ય પણ હતાં. પણુ, આજે યુગ બદલાયો છે. નવા યુગની દૃષ્ટિએ આ જૂના મસાલાને લઈને નવો વળાંક નહીં આપીએ તો સમાજ અને વ્યક્તિ પછાત રહી જશે અને યુગબળ આગળ વધી જશે. યુગબળ એટલે વિશ્વના બધા પ્રવાહને વિચાર કરીને આજે વિશ્વ વાત્સલ્યનાં જે બાર વ્રતો મૂકાયાં છે તે બરાબર છે કે કેમ ? તેની વિશેષતા સાંસ્કૃતિક દૃષ્ટિએ છે કે નહીં? એની ચકાસણી કરી લેવામાં આવે એ ઠીક થશે. આ બધાં વ્ર મુનિશ્રી સંતબાલજીએ પોતાના 1 વર્ષના સમાન એકાંતવાસના મંચને બાદ મૂકયાં છે. કોઈ એમ ન માને કે તેના વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust