Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ વધારે વિકસેલું હોય છે. એટલા માટે સમાજની વચ્ચે રહીને સાધના કરનાર સાધક (જૈનની પરિભાષા પ્રમાણે સ્થવિર કલ્પી), ને સમાજમાં અહિંસક ક્રાંતિ કરવા માટે નારીને શરીર સ્પર્શ નહીં પણ હૃદય સ્પર્શ કરવો વધારે જરૂરી છે. એવી જ રીતે નારી શરીર ધારી ભાધિકાને પણ અંગત વિકાસ માટે પુરુષની બુદ્ધિને સ્પર્શવાની અગત્ય રહેશેજ. સાચી અને સંપૂર્ણ પૂરકતા તો હૃદયના સ્પર્શથી જ આવી શકે છે. સામાન્ય માનવી વિકારને વશ થઈને સ્ત્રીના રથૂળ શરીર-સ્પર્શમાં આનંદ માને છે, તેમાં સુખની કલ્પના કરે છે જ્યારે ઉચ્ચ કોટિના સાધકો હૃદય-અંતર અને આત્મભાવના મિલનમાં સાચું સુખ માને છે. અનુભવની એરણે એ વાત સિદ્ધ થયેલી છે. તત્વાર્થ સૂત્રોમાં વર્ણવામાં આવેલ ઉચ્ચ કોટિના દેવોના જીવનથી આ વસ્તુ સિદ્ધ થાય છે. નીચેનાં સૂવે જરા ધ્યાન આપવા જેવાં છે - काय प्रवीचारा आ ऐशानात् // अ. 4 सू. 8 // વા: -હા-રાદર-મનપ્રવીચાર થયો : | મ. 4 . I swવીરા : . 4 , 20 || આ ત્રણે સોને ભાવાર્થ આ પ્રમાણે છે:–વિમાનિક દેવામાં પહેલા અને બીજા સે ધર્મ અને ઇશાન દેવલોકમાં, દેવો મનુષ્યની જેમ મૈથુન સેવનથી ભોગ-તૃપ્તિ અનુભવે છે. ત્યારબાદના બબ્બે દેવલોકોમાં ક્રમશઃ સ્પર્શમાત્રથી, રૂપદર્શનથી, શબ્દ-શ્રવણથી અને પછી કેવળ મનની કલ્પનાથી ભોગની તૃપ્તિ થાય છે. ત્યારપછી એટલે કે. દશમા દેવલોક બાદ, ઉપરના દેવલોક, નવ ગ્રંથક વિમાનના દેવો અને પાંચ અનુત્તરવિમાનના દેવાની ભોગ પ્તિ કેવળ આત્મ-સ્પર્શ કે હૃદથ-સ્પર્શથી થાય છે. એમાં દેવો અને દેવી પરસ્પરના અપરિમિત ગુણો પ્રતિ પ્રીતિ રાખીને વાત્સલ્યસના પરમ આનંદની અનુભૂતિ મેળવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust