Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ * સ્થૂલિભદ્રે કહ્યું: “કોશા ! તને પહેલાં ચાહતો હતો અને હજુ પણ તને ચાહું છું. પણ તે ચાહના અને અત્યારની ચાહનામાં અંતર છે. સંયમ લીધા પછી મને જે આત્માનંદ–વાત્સલ્યને આનંદ મળ્યો છે, તે એટલો બધો અપૂર્વ છે—અખૂટ છે અને શાશ્વત છે કે . તેની આગળ વિષય-વાસનાને આનંદ કંઈજ નથી. આ નૃત્ય-ગીત રૂપ-શૃંગાર ક્યાં સુધી ચાલશે ? શરીર ક્યાં સુધી ટકશે? કેટલાકને રીઝવી શકશે ? અરે! એ તો બીજાને રીઝવવા માટે જ છે ને ! તે જ્યારે તને આનંદ આપી શકતાં નથી તો બીજાને ક્યાંથી આપી શકે ? " કેશા બેલીઃ “મને તો તમારી આ વાતો સમજતી નથી.” સ્થૂલિભદ્રે કહ્યું : “એ સમજાશે ! એ સમજાવવા માટે જ તે હું આવ્યો છું. તારે તારે આ પ્રેમ જે વાસનાને પેદા કરાવે છે તેના બદલે વાત્સલ્ય તરફ વહેવડાવવાનો છે. આ શરીર કે વાસનાથી કોઈને અનંત કાળ સુધી રીઝવી શકાતું નથી. ખરો પ્રેમ તો આત્મભાવ વડે પ્રગટાવવાને છે. દરેક જીવો ઉપર વાત્સલ્યભાવ પ્રગટાવવામાં જે આનંદ છે તે કયાંયે નથી. તું તારા શરીરને અર્પણ કરવા બદલ હવે હૃદયને અર્પણ કરતાં શીખ! એ માટે સંયમ જરૂરી છે. અંગારત્યાગ જરૂરી છે; વ્રત-તપ કરવાં જરૂરી છે–આજે તારી પાસે જેઓ વાસનાની દષ્ટિએ આવે છે તે પછી તારી પાસે વાત્સલ્ય પામવા આવશે અને તું ભૂલાં ભટકયાને માર્ગદર્શન આપનારી બનીશ !" સ્થૂલિભદ્રથી પ્રેરણું પામી કોશાએ વાત્સલ્યનો માર્ગ લીધે. હવે નૃત્ય, સંગીત બંધ થયાં. એના બદલે વ્રત-તપ અને જ્ઞાનચર્ચાઓ થવા લાગી. ચાતુર્માસ પૂરૂં થયાં સુધી કેશા એક પાકી સાધિકા બની ગઈ સ્થૂલિભદ્રમુનિને પ્રયત્ન સફળ થયે. . : બ્રહ્મચર્ય સાધનામાં એક વેશ્યાને ત્યાં સાવધાનીપૂર્વક સ્ત્રી અને પુરૂષ રહેવા છતાં શરીરસ્પર્શના બદલે અંતર-(હૃદય) સ્પર્શ દ્વારા સાચા આનંદને પામવાનું આ એક આદર્શ ઉદાહરણ છે. સ્ત્રીઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust