Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ ર૧૬ * આનંદ માણી રહ્યો છું. મારી સાથે પૂર્વાશ્રમમાં શારિરિક સુખમાં રચનાર કોશાને પણ આ વાત્સલ્ય રસને આનંદ પમાડું તો કેટલું સારૂં? કારણ કે પુરૂષ કરતાં સ્ત્રીઓમાં વાત્સલ્ય પ્રવાહ વધુ હોય છે ! " - આ વાત તેઓ પિતાના આચાર્ય સંભૂતિ-વિજ્ય પાસે પ્રગટ કરે છે. તેમની સાથેના બીજા સાધુઓ, ચાતુર્માસ ગાળવા ભયંકર સ્થળે જવાની રજા માંગે છે ત્યારે સ્થૂળભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવાની રજા માંગે છે. ગુરુદેવ ચારેય શિષ્યોને પિતપોતાની ઈચ્છા પ્રમાણેના સ્થળે ચાતુર્માસ ગાળવા જવાની રજા આપે છે. સ્થૂલિભદ્ર મુનિ પાટલિપુત્રમાં કોશાના આવાસે આવે છે અને ચાતુર્માસ ગાળવાની રજા માંગે છે. કેશા તેમને સહર્ષ રજા આપે છે. કોશાના મનમાં હતું કે આ સૂનું હદય ભરાઈ જશે અને સ્થૂલિભદ્ર મારા પ્રેમમાં રંગાઈ જશે !" - કેશાને સ્થૂલિભદ્ર ઉપર અનન્ય પ્રેમ હતો. પોતાને વિખૂટ પ્રેમી વર્ષો બાદ આવ્યા છે એટલે તેણુએ એના ઉપર પોતાને રંગ જમાવાનો પ્રયત્ન શરૂ કર્યો. તે નવા નવા પોશાકો સજી સજીને સ્થૂલિભદ્રની સામે આવવા લાગી. નૃત્યો કરવા લાગી અને ગીતો ગાવા લાગી. પણ સ્થૂલિભદ્ર તો બીજા જ આનંદને માણી રહ્યા હતા. એટલે તેમણે કોશાનાં આ વિષય-વાસનાના આનંદને નવો વળાંક આપવાનું નકકી કર્યું. તેમણે એના રૂપ-રંગ નૃત્યગીત તેમજ ભજન-પકવાન તરફ ધ્યાન જ ન આપ્યું. * એ જઈ કોશાથી ન રહેવાયું. તેણે કહ્યું : શું તમને મારાથી પ્રેમ નથી ? શું જે કોશાને તમે એક ક્ષણ પણ અળગી કરી શકતા ન હતા એ કોશા નથી ગમતી?” - સ્થૂલિભદ્ર કંઈ પણ જવાબ ન આપ્યો. કોશાએ જ કહ્યું : “ના ! એવું નથી. હું જાણું છું કે તમને મારા તરફ પ્રેમ છે એટલે જ તમે મુનિ વેશે પણ અહીં આવ્યા છે. પણ અહીંની દરેક વસ્તુ તરફ, અરે! મારા તરફ અભાવ શા માટે દાખવો છો? તે સમજાતું નથી?” * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust