Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 206 વાત ન કરી અને આ યુગે આપને સર્વ ક્ષેત્રની ધર્મક્રાંતિ માટે મૂળ વ્રતને સાચવી આવડા મોટા ફેરફારોની વાત કેમ સૂઝી ?" " તેને જવાબ આપતાં મુનિ શ્રી સંતબાલજીએ કહ્યું: “સવારે નેમિમુનિએ કહ્યું તે મુજબ પ્રથમ સત્ય, પછીથી ત્રણ પાર્થપ્રભુ વખતે ચાતુર્યામ અને ભગવાન મહાવીર વખતે પાંચ મહાવ્રતો તેમજ ગૃહસ્થ માટે બાર અણુવ્રતોની વાત કરી હતી, તે અને પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિઓ વગેરે ઉપરથી જૈનધમે વ્યાપક વાત કરી જ છે. આચાર્યોએ યુગાનુસાર ફેરફાર પણ કર્યા છે. હવે જમાનો બદલાયો છે. સમાજ, સમુદાય અને સંગઠનની વાત આગળ આવે છે. ગાંધીજીએ સામુદાયિક અહિંસાના પ્રયોગો કર્યા; સંસ્થાઓ ઊભી કરી અને તેને શુદ્ધ સંગીન બનાવી હતી. ધર્મક્રાંતિકારેએ પણ સેંકડો વર્ષોથી દેશ-પરદેશમાં કામ કર્યું જ છે. આ બધાને સંદર્ભે લઈને જૈનધર્મનાં અનેકાંતવાદ, તેમજ વ્યાપક અને છતાં ઝીણામાં ઝીણી અહિંસાની વાતના કારણે આ ફેરફારો આવ્યા છે. એટલે આ વાત સાવ નવી નથી. જૂનાનું જ સંશાધન છે. જા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust