Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 201 પાર્શ્વપ્રભુએ ચાર આપ્યાં. મહાવીર પ્રભુએ પાંચ અને રાત્રિભોજનને ત્યાગ એમ છ વ્રત કર્યા. તેમાં પણ ગૃહસ્થોના પાલન માટે અલગ મર્યાદા બાંધી એ પાંચ વ્રતને લધુ કર્યા, અને તેમના વિકાસ માટે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષણ–વત ઉમેર્યા, આમ બાર વ્રતો થયાં. મહાત્મા ગાંધીજીએ યુગની માંગને ધ્યાનમાં રાખીને ધર્મને રાષ્ટ્રીય રૂ૫ આપીને અગિયાર વ્રત પિતાની ઢબે રજુ કર્યા. આપણે જગતની માંગને દષ્ટિએ થેડે ફેરફાર કરીને અગિયાર કે બાર વ્રતો કરીએ છીએ. પણ આ બધામાં મુખ્ય વાત એ છે -(1) સત્ય-જગતના વહેવારને સરળ બનાવનાર તત્વ, અને (2) અહિંસા પ્રાણીમાત્રને અભય (સુરક્ષા) આપે તે જીવન ભાવના. આ રીતે જૈનધર્મ વિશ્વધર્મ બનવાની ગુ જાઈશ ધરાવી શકે છે. ગાંધીજી હિંદુધર્મને તેજ દ્રષ્ટિએ જોતા. આપણે એ મૂળતત્ત્વના આગ્રહી રહીએ એટલે બધા લોકોને એ વાત પોતીકી લાગશે. જ્યાં દર્શન સારું થયું કે બધાં વ્રતો કેંદ્રીય (મુખ્ય) તત્વની આસપાસ બરાબર ક્રમેક્રમે ગોઠવાઈ જશે. અહિંસાની ઉપગિતા દુનિયાની માનવજાત સામે પ્રથમ સવાલ છે: “રશિયન અને અમેરિકન જૂથને. તે બન્નેની સામસામે છાવણીઓ પડી છે. તેઓ એક બાજુ હથિયાર તેજીલાં બનાવી રહ્યાં છે, જ્યારે બીજી બાજુ બન્નેને પિતાના ખુદના અને પ્રજાના નાશને ડર છે. છતાં માર્ગ મળતો કેમ નથી? કારણ કે પરસ્પરનો અવિશ્વાસ છે. અવિશ્વાસ એટલા માટે કે કદાચ કહી દઈએ અને હુમલો સામેથી કરે તો શુ? એટલે વાતો છુપાવે છે. અહીં અહિંસાજ કામ લાગશે. બાપુને સત્યની શોધમાંથી અહિંસા મળી હતી. આમ સત્ય-અહિંસાને આખું જગત ઝખે છે. આપણે એમાં પણ બ્રહ્મચર્ય (સંયમ) ઉપર વિશેષ ભાર આપશું. જ્યારે પશ્ચિમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust