Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 187 બીજું કારણ એ છે કે એ લગભગ બધા ધર્મોના પ્રતીક જેવું બનીને સમન્વય સાધતું ઊભું રહે છે. સાથે જ બધા પ્રકારના માનો અને સૃષ્ટિ વચ્ચે સુમેળ બાંધવા માટે દીવાસ્તંભ જેવું છે. તે ઉપરાંત તે બધાંને માન્ય છે. ખ્રિસ્તી ધર્મમાં તેને વિશ્વપ્રેમ રૂપે રજૂ કરવામાં આવેલ છે. એમાંથી માનવસેવા નીકળી છે. પ્રેમ શબ્દ આજે મેહ કે વિકારરૂપે વપરાય છે, તે યોગ્ય ભાવને પ્રગટ કરતા નથી. બૌદ્ધ ધર્મમાં બ્રહ્મવિહાર છે. એમાંથી મધ્યમ માર્ગના કારણે કરૂણ નીકળી છે પણ તેમાં પૂર્ણ અહિંસાને વિચાર સ્પષ્ટ થતો નથી. એવી જ રીતે હિંદુ ધર્મમાં “અદ્વૈત” હેવા છતાં વહેવારમાં માનવ-માનવ વચ્ચેના ભેદભાવો, ઘણું અને દ્વેષ જોવામાં આવે છે. જૈન ધર્મમાં વિશ્વમૈત્રી અને અહિંસા છે પણ તેને મોટો ભાગ નિષેધાત્મક રૂપે છે. આથી વિધેયાત્મક રૂપ તરફ (સેવા, સંવેદના અને માનવીય કરૂણા પ્રતિ) બરાબર ધ્યાન અપાયું નથી. એવી જ રીતે મહાત્મા ગાંધીજીએ અહિંસા, અસ્પૃશ્યતા નિવારણ, સર્વધર્મ સમભાવ વગેરે વતો વિશ્વ વાત્સલ્યના પૂરક તરીકે મૂક્યા છે ખરા, પણ આ બધા વ્રતોને મૂળભૂત હેતુ જે વિશ્વવાત્સલ્ય છે તે પ્રગટ થતું નથી; કારણકે એને અનુલક્ષીને વ્રતોને વિચાર થયો નથી જે વિશ્વ વાત્સલ્યને મૂળવ્રત રૂપે લેવામાં આવે તો જ માનવ-માનવ વચ્ચેની ગમે તે પ્રકારની દીવાલો હશે તે તૂટશે. સંઘર્ષો ઓછાં થશે અને દરેકને શાતિ અને સુખથી જીવન જીવવાની તક મળશે.. વિશ્વવાત્સલ્ય ન કેવળ વ્યાપક છે, પણ તે બધા ધર્મો, જાતિઓ, મતો, વિચારપ્રવાહ વગેરેના સમન્વયનું ધર્મદષ્ટિએ પિષક પણ છે; અને એટલે જ તે અહિંસાનું વિધેયાત્મક રૂપે પોષક હોઈને, કરુણા, સેવા-મૈત્રી ભ્રાતૃભાવ, બંધુભાવ કે અદ્વૈતભાવ; દરેકને વહેવારિક રીતે આચરણમાં મૂકવા પ્રેરે છે. એટલે બધા ધર્મોના વ્રતોને (અહિંસા વ.નો) એમાં સમાવેશ. થઈ જાય છે, એવી તેની વ્રત ઉપવતની રચના છે. જ્યાં સુધી. વિશ્વવાત્સલ્યને એક મૂળવતે ન લેવામાં આવે ત્યાંસુધી વિશ્વપ્રેમ કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust