Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 179 આવી દશા હેય તે સમાજની શું દશા થાય ? તેને બદલે સ્ત્રી અને પુરુષ જે શરીર–ભોગ વગર આનદ લૂટતા થાય તો ! તેથીજ શીલ-રક્ષા એ ધર્મ થશે અને કુશીલ અધમ કહેવાય. વ્યવસ્થા-રક્ષા અને પરિગ્રહ-મર્યાદા એવી જ રીતે સાધન અને સત્તા જેમના હાથમાં આવે તે સમાજની વ્યવસ્થા અને મર્યાદાનો ભંગ કરે તો! જ્યાં એવું થાય છે ન્ય સમાજમાં લડાઈ તોફાન અને બંધને પેદા થાય છે. વ્યવસ્થાની રક્ષા થાય તેને ભંગ ન થાય તે શાંતિ આવે. આથી વ્યવસ્થા રક્ષા અને પરિગ્રહ મર્યાદાએ ધર્મ બન્યો. જો એમ ન થાય તે લડાઈ થાય. હાયવોય થાય અને જે પૈસે સુખને માટે ભેગા કર્યો તેને લીધે જ આ બધે બળાપો થઈ જાય. મૂળવતે અને ઉપવતે આમ માનવસમાજ જેનાથી ટકે છે તે ધર્મનાં ચાર અથવા પાંચ * મૂળવતા થયાં (1) સત્ય (2), અહિંસા (3) અસ્તેય (4) બ્રહ્મચર્ય (5) અપરિગ્રહ. મૂળ તો આ બધા સત્યની આસપાસ ગૂંથાયેલાં છે અને જીવનની વિવિધ વસ્તુઓનું સત્ય રજૂ કરે છે. આ પાંચના ઉપવ્રત તરીકે ગાંધીજીને એક સૂઝે, સંતબાલજી બીજાં બતાવે, સ્વામીનારાયણવાળા ત્રીજાં બતાવે એ સંભવે છે. કારણ કે પાંચ વ્રતોની આસપાસ રહેલાં ઉપવ્રતો કાળ મુજબ બદલી શકાય છે અને બદલવાં જ જોઈએ. તેનું આંશિક પાલન થાય તો પણ સમાજમાં તેટલું સુખ વધે છે. મૂળે જીવનના સત્ય ઉપર શ્રદ્ધા રાખી જાતે અહિંસાદિ વ્રતનું પાલન કરે અને સાથીઓ પાસે પાલન કરાવે એ વિશ્વવાસલ્યની પાયાની ધર્મનિષ્ઠા છે અને ખરેખર તે સર્વત્ર સ્વીકૃત છે. વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા ફરજ બજાવવામાં - શ્રી પુંજાભાઈ કહે: “માનવને ફરજનું ભાન હોય છે. કારણ કે તે માનવ છે. તેનામાં ઊંડી વિવેક બુદ્ધિ હોય છે. તે માયા, મેહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust