Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 180 અને સ્વાર્થને વશ થઈ ફરજને ટાળવા મથે છે. તેને બદલે પિતાના અસલી ધર્મને સમજીને ફરજ બજાવવાની પ્રવૃત્તિ કરે તો જગતમાં આનંદ આનંદ થાય. વિશ્વ વાત્સલ્યની આજ ધર્મનિષ્ઠા ગણાય. ખેડૂત જે ખેતી, મજૂર, બળદ વ. બધાજ તરફ અને બધી જાતની ફરજ બજાવે તો સ્વાર્થ સાથે પણ પરમાર્થ થઈ શકે. બાકી બેદરકાર બને તો સ્વાર્થ અને પરમાર્થ બનેને હાનિ પહોંચાડે. એજ રીતે વેપારી બ્રાહ્મણ કે સાધુ વગેરે જ્યાં ફરજ ચૂકે ત્યાં ત્યાં અધર્મ વધે છે. - આજે તો માલની જ નહીં બાળકોની પણ ચોરી થાય છે. જે માણસાઈ દ્રષ્ટિએ માનવ એમ વિચારે કે “જે કોઈ માનાં બાળકો ઉપાડે . તે એ માને કેવું દુઃખ થાય. જેણે મહેનત મજુરી કરી થોડું બચાવ્યું છે તેનું શોષણ કરે કે ચોરી કરીને ઝૂંટવી લે તો તેને કેટલો ત્રાસ પડે ! આવા સમયે વિશ્વ વાત્સલ્યને જરા સરખો વિચાર આવવો જોઈએ કે આવું ભયંકર કૃત્ય કદાપિ થઈ શકે જ નહીંએજ એની ધર્મનિષ્ઠા છે. . , ' , વ્રત અને નીતિને મેળ મળવો જોઈએ શ્રી બળવંતભાઈ : “ધર્મનિષ્ઠાને જે વિશ્વ વાત્સલ્યનું મૂળ કપીએ તો નીતિનિષ્ઠા એનું થડ છે. બાકી વ્રત વગેરે તેની શાખા ડાળીઓ છે. આજે થડ તરફ ઓછું લક્ષ અપાઈ રહ્યું છે. એટલે જ ભગવાન મહાવીરને માનનારાએ જેને વર્જનીય ગણ્યાં છે, તે પંદર " કર્માદાનને આચરવામાં અનિષ્ટને જોતા નથી. અહિંસા અને અપરિગ્રહની વાત કરવા છતાં કાળાબજાર અને શોષણ કરી શકે છે. પર્યુષણમાં ઉપવાસ, લીલોતરી, ત્યાગ, અસ્નાન વ. આચરવા છતાં ઉપલાં કર્મો હોંશથી કરી શકે છે. કારણ કે વ્રત અને નીતિને સુમેળ સધાયો નથી. વિશ્વવાત્સલ્ય અને “આત્મવત્સર્વભૂતેષુ ની મૂળભૂત જૈનધર્મની નીતિનિષ્ઠા તેમનામાં કાચી રહી ગઈ છે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust