Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ છે—-અનિષ્ટ કરનારાઓ પ્રતિ પણ અને બીજી બાજુ જીવનના પરમ કર્તવ્ય માટે અન્યાયને પડકારે પણ છે. ' જેમ એક માતા બાળક સાથે સહકાર અને અસહકાર અને કર છે તેમ વિશ્વવાત્સલ્યને સાધક પણ સહકાર અને અસહકાર બન્ને કરશે. ઘણીવાર માતા બાળકને વહાલ કરે છે. તેના હિત માટે બધું કરે છે, એ સહકારની ભાવના છે અને એ જ માતા ક્યારેક બાળક સાથે, તેના દેશે માટે રોષ કરે છે, બોલતી નથી પોતે ભૂખી પણ રહે છે, એ અસહકારની ભાવના છે. બંને ભાવનાઓની પછવાડે બાળકની હિતચિંતા તેને હૈયે હોય છે એવી જ રીતે વિશ્વ વાત્સલ્યને સાધક અન્યોના અનિષ્ટ જોઈને તેની સાથે અસહકાર દાખવે છે, તેને નિદે છે, વખોડે છે; પોતે ભૂપે રહે છે પણ હિત માટે અને તેને દૂર કરી “સારૂં શું છે તે અંગે સહકાર આપે છે તે પણ હિત માટે, આ માટે આત્મીય ભાવ હોવો જરૂરી છે. આ વાત્સલ્ય શબ્દ બહુ મોટો છે. એટલા ઉચ્ચ વાત્સલ્ય સુધી પહોંચવા માટે કુટુંબ–વાત્સલ્ય, સમાજવાત્સલ્ય પ્રગટાવવાં સર્વપ્રથમ જરૂરી છે. જેને કુટુંબ સાથે વાત્સલ્ય ન હોય તે વિશ્વ સાથે કઈ રીતે વાત્સલ્ય દેખાડી શકે કે સાધી શકે છે રામાનુજચાય પાસે એક ગૃહસ્થ દીક્ષા લેવા આવ્યો. તેણે કહ્યું : “આ સંસાર ખારો છે. આમાં બધા સ્વાર્થના સગાં છે. મારે એ બધું છોડીને આત્મકલ્યાણ કરવું છે, માટે મને દીક્ષા આપ.” રામાનુજાચાર્યે પૂછ્યું: “કુટુંબમાં તારે કોઈ સાથે પ્રેમ છે ખરે!” તેણે કહ્યું : “કુટુંબ તે સ્વાર્થી છે એટલે જ તે આપની પાસે દીક્ષા લેવા આવ્યો છું.” રામાનુજીયાયે કહ્યું: “ત્યારે હું દીક્ષા ન આપી શકું! જેને કુટુંબ સાથે વાત્સલ્ય ન હોય; ભલે મેહમમતા ન હોય પણ શુદ્ધ લાગણીભર્યો વર્તાવ ન હોય. જેને બધા પ્રતિ ઘણું હોય તે વિશ્વવાત્સલ્યની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust