Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 127 કહેવાય છે કે જનકરાજાની શંકાનું સમાધાન અષ્ટાવક્રે કરાવ્યું અનેં નાનાને છોડાવીને આવ્યા. અહીં જોવાનું એ છે કે જેઓ વિશ્વ વાત્સલય બ્રહ્મદૈતના વિચારમાં પ્રવિણ હતા તેઓ વિધવાત્સલ્યની વાત છેડીને “શરીરાદૈત” વાદને આચારમાં મૂકવા લાગ્યા. એવી જ સ્થિતિ આજે ઘણાખરા ઉચ્ચ સાધકો અને વિદ્વાનોની છે. - લોકોને સમાજ બન્યો છે અને ત્યાં પણ એવું જોવામાં આવ્યું છે કે વિચાર માટે જેટલા ક્ષેભ હોતો નથી તેટલો ક્ષોભ કે તેના કરતાં પણ કયારેક વધારે ક્ષોભ આચાર માટે થઈ જાય છે. મુનિશ્રી સંતબાલજી મ. વિશ્વ વાત્સલ્યની વાતો કરતા હતા ત્યાં સુધી તો સમાજમાં તેમના માટે ક્ષોભ ઘણો ઓછો હતો. એને જ્યારે આચારમાં મૂકવાની વાત આવી તો તેમના ગુરુદેવે પણ એમજ કહ્યું કે તમે તેને વિચારમાં જ રાખો, અથવા તેને આચારમાં મૂકવાનું હોય તો નિવેદન બહાર પાડી તેની જાહેરાત ન કરે. પણ, તેમણે જ્યારે પોતાના વિચારો અમલમાં મૂકવા અંગે નિવેદન બહાર પાડ્યું કે લોકોમાં એકદમ ક્ષોભ ઊભો થયો. તેમના સંપ્રદાયવાળ ઉકળી ઊઠ્યા. તેમણે સારામાં સારે રોષ પણ પ્રગટ કર્યો. તેમણે વિચારભૂમિકાને પાકી કરી હતી અને તેને આચારમાં મૂકવાની નિષ્ઠા કેળવી અને આજે તેઓ વિશ્વ વાત્સલ્યના સાધક બની શક્યા છે. - એવી જ રીતે એક સુધારક જૈનપંડિતે આંતર્જાતીય વિવાહની વાત કરી ત્યારે ઘણુ પંડિતએ તેમાં સંમતિ આપી. પણ જ્યારે તેમણે જાતિભેદ તોડીને આંતર્જાતીય લગ્ન કર્યું ત્યારે એ જ પંડિતોએ ઉહાપોહ મચાવ્યો. પંડિતજીએ કહ્યું કે તમે જ મારા વિચારમાં સંમતિ આપી હતી ને ? ત્યારે તેમણે કહ્યું : “અમુક વિષય ઉપર સંમતિ આપવાને અર્થ એ નથી કે અમે તે કાર્યમાં શામેલ થઈ એ છીએ. સમાજમાં અશાંતિ કે વિક્ષેભ ઊભો કરવો એ બરાબર નથી.” . આમ વિચાર સુધી ઘણું સહમત હોય છે પણ આચારની વાત આવે છે ત્યારે ખસવા માંડે છે. એનું કારણ એ પણ છે કે વિચારમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust