Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 115 : - કહેવાય છે કે તે દિવસથી રામાનુજાચાર્ય, પિતાના શિષ્યોને જાતિ, કુળ, વિદ્યા અને ધનનું અભિમાન છોડવાને ઉપદેશ અને આદેશ આપતા. એટલું જ નહી તેમણે એને અનુરૂપ પોતાનાં સંસ્કારને ફેરવ્યા. વૃદ્ધાવસ્થાએ નદીમાં સ્નાન કરવા જતી વખતે તેઓ પોતાના બ્રાહ્મણ શિષ્યને ખભે હાથ મૂકીને જતા અને આવતી વખતે કોઈ શુદ્ધ શિષ્યને ખભે હાથ મૂકીને આવતા. લોકોમાં આ બન્ને આચાર્યોની ખૂબ જ ટીકા થએલી. લોકો નિંદા પણ કરવા લાગ્યા. પણ તેમણે એની પરવા ન કરી. વિચારને આચારમાં મૂકવાની આવી નિષ્ઠા જાગે તો જ વિચાર આચાર એકમેકમાં સંકળાઈ જાય અને તદનુરૂપ જીવન બની જાય. એક ભાઈ એ તો રામાનુજાચાર્યને પૂછયું પણ ખરું - “આ૫ આમ શા માટે કરે છે ?" ત્યારે તેમણે કહ્યું : “આપ લોકો જેને નીચ સમજે છે તે શુક્રનો સ્પર્શ હું એટલા માટે કરું છું અને જાતિ-અભિમાનને ગાળવાને - આજ ખરો માર્ગ જણાય છે. આ અભિમાન રૂપી મેલને હું બહારના સ્નાન કે શુદ્ધિથી જોઈ શકતો નથી.” આ દાખલાઓ રજૂ કરવાનું કારણ એ છે કે લોક અદ્વૈતવાદ કે બ્રહ્મવાદને વિચારમાં મૂકતી વખતે તો સંમત હતા પણ ખુદ જ્યારે તેમના આચાર્યો તેને અમલમાં મૂકવા લાગ્યા તે વખતે તેમણે વિરોધ કર્યો. કેટલીવાર લોક વિશ્વવાત્સલ્ય, બ્રહ્મ, આત્મા વગેરે અંગે મોટી મોટી વાતો કરે છે પણ તેમનું આચરણ તો તદ્દન વિરૂદ્ધ થતું જોવામાં આવે છે. - રાજા જનકને એક શંકા હતી. તેમણે એના સમાધાન માટે તે વખતના મોટા મેટા બ્રહ્મજ્ઞાની પંડિતોને બોલાવ્યા હતા. પણ, કોઈથી તેમની શંકાનું સમાધાન થયું નહીં. એટલે રાજાએ તેમને કહ્યું “જ્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust