Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ કારણ કે સંસ્થાઓમાં અમુકનું વર્ચસ્વ હોય છે. સંસ્થાની નીતિ કરતાં તેવી વ્યક્તિઓની વાત જ મુખ્ય રહે છે. - એક ઠેકાણે હું દશ માસ રહ્યો. એમાં એક માણસનું મેં ધાર્યું; ન કર્યું. મને સોંપાયેલા મિસ્ત્રીને હું સોપું તે જ કામ તેણે કરવું જોઈએ એવે. આગ્રહ સેવ્યો. એટલે મારે સંસ્થા મૂકવી પડી. . - એવી જ રીતે વળી પાછો હું બીજી સંસ્થાના ઘર્ષણમાં આવ્યો અને મને સંસ્થા મૂકવી પડી; અને ભારે ઘડિયાળનું કામ પસંદ કરવું પડયું. મારું કામ સરકારને ગમે છે પણ સંસ્થાઓમાં હું ફીટ થઈ શક્તો નથી. એટલે વિનોબાજી સંસ્થા કે સંગઠનને વિરોધ કરતા હોય તે આ દૃષ્ટિએ કરતા હશે. અલબત જે સંસ્થામાં નીતિ મુખ્ય હોય, પૈસા ગૌણ હોય તેવાં સંગઠને અને સંસ્થાઓ નીતિમાં માનવાવાળાને અનુકુળ આવે ખરી. એ દષ્ટિએ આકર્ષાઈને હું અહીં શીખવા આવ્યો છું. સમાજ ઘડતર માટે સંગઠને શ્રી માટલિયાએ કહ્યું : “દેહ છે તે તેને ટકાવવા, વિકસાવવા માટે ખોરાકની જરૂર છે, તેમ સમાજ છે, તો તેને ઘડવા ટકાવવા વિકસાવવા માટે સંગઠને અનિવાર્ય છે. દેહમાં બગાડો થશે એ ભયે, ખોરાક કાયમ માટે ન તજી શકાય. સંસ્કરણ અને શુદ્ધિને પાયામાં રાખવાનું સૂચન છે; પણ સંસ્થા અને સંગઠનને છેદ કરવાની વાત યોગ્ય નહીં જ ગણાય. પિતાનું માની લીધેલું સત્ય શ્રી બલવંતભાઈએ કહ્યું : ઘણીવાર પોતે માની લીધેલું સત્ય ' કપી વ્યકિત આગ્રહી બને છે. તેવી વ્યક્તિ કોઈ પણ સંસ્થા સાથે બંધબેસતી થઈ શકતી નથી. તેને ઘણી જગ્યાએથી છુટા થવું પડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust