Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 172 એક ખેડૂતમાં વિધવા સલ્યની નીતિ-નિષ્ઠા પાકી હોવાના કારણે વ્રતનિષા સહેજે આવતી જાય છે. આવી જ રીતે બીજા ખેડૂતોમાં નીતિનિષ્ઠા * પાકી થતાં તેમની વ્રતનિષ્ઠા પણ મજબૂત બનતી જાય છે... '' * ઘણુંને એમ પણ મનમાં થશે કે જે નીતિનિષ્ઠાથી કામ ચાલતું હોય તો વતનિષ્કાની શી જરૂર છે? આ અગે એટલું જ સૂચવી શકાય , કે જેમ પાયા વગર ચણતર ન થાય અને ચણતર વગરના પાયાની શોભાં નહીં, એમ નીતિ નિષ્ઠા ના પાયા વગરની વતનિષ્ઠા ટકી ન ન શકે. ડગી જાય કે પછી પણ ભાંગે. વ્રત-નિષ્ઠા હોય અને નીત-નિકા ન હોય તો તે જડક્રિયા બની જાય. * તે ઉપરાંત નીતિનિષ્ઠા સાથે વ્રતનિષ્ઠાની જરૂર વિશ્વ વાત્સલ્યને લક્ષમાં રાખીને કામ કરતા લોકસેવકોને અનિવાર્ય છે. આવા નીતિનિષ્ઠ લોકસેવકો-રચનાત્મક કાર્યકરોમાં વતનિષ્ઠા ન હોય તે તેઓ પિતાનું ઘડતર ન કરી શકે અને સમાજનું ઘડતર પણ ન કરી શકે. લોકસેવકો જે વ્રતનિષ્ઠ નહી હોય તે જે લોકો પાસે તેમને કામ લેવાનું છે, તે -લે કોની આ સેવકો પ્રતિ શ્રદ્ધા રહેશે નહીં અને પરિણામે લોકસંગઠનનું સંચાલન પણ સારી પેઠે થઈ શકશે નહીં. એક દાખલો લઈએ. એક કાર્યકર્તા છે. તેમાં નીતિનિષ્ઠા હેવા છતાં, તે બ્રહ્મચર્યની મર્યાદા પાળ નથી. પ્રમાણિક રહેતું નથી; હિસાબ ચેક રાખતો નથી, વ્યવસાયની મર્યાદા કરતો નથી, વ્યાજને ખાનગી ધંધો ચલાવતો હોય છે, ભૂલ માટે ક્ષમા માગી શકતો નથી, ખાન-પાનને સંયમ રાખતો નથી કે વ્યસન ત્યાગ કરતો નથી; આવો માણસ લોકોનો વિશ્વાસ ન મેળવી શકે. એટલા માટે તેને વ્રતનિકાને અપનાવવી પડશે. ગાંધીજીએ જ્યારે લોક–સેવાની કલ્પના કરી ત્યારે તેમણે સપત્ની બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. તેથી સમાજને વિશ્વાસ કેળવાયો. તેમણે જુદાં જુદાં વ્રતોને સાધ્યા અને પછી બીજા કાર્યકરો માટે વતનિષ્ઠા આવશ્યક ગણી તેમનું ઘડતર કર્યું. તેમણે ત્યારબાદ જુદા જુદા કાર્યક્રમો રજૂ કરીને તે વડે સમાજનું પણ ઘડતર એવા વ્રતનિષ્ઠ કાર્યકર્તાઓ વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust