Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ નામાં નીતિનિષ્ઠા ન હોવાથી તેઓ વ્રતબદ્ધ હોવા છતાં રાજ્યાશ્રિત બની ગયા; એટલું જ નહીં ધર્મને પણ રાજ્યાશ્રિત બનાવી દીધું. મહાત્મા ગાંધીજીએ વ્રતનિષ્ઠા માટે આશ્રમમાં સાધકોને રાખીને તેમનું : ઘડતર કર્યું. કેટલાક દૂર રહીને વ્રતબદ્ધ થયા; એમાં જેમની નીતિ"નિષ્ઠા પાકી થઈ ગઈ તેઓ આજે પણ ઘનિષ્ઠામાં પાકા રહ્યા છે. 'તેઓ કોઈ પણ પ્રશ્નનો ઉકેલ નીતિનિષ્ઠાની દષ્ટિએ આપ્યું. શકે છે. આવા લોકો સત્તા, ધન કે પદના મેહમાં તણાતા નથી; સત્તાધારી કે પૈસાદાર કરતાં લોકસેવકોને ઉચ્ચ પ્રતિષ્ઠા આપે છે, તેમજ ભારતીય સંસ્કૃતિ વિરોધી તત્ત્વોને ટેકો આપતા નથી. પણ, એવા ઘણું હતા જેમની નીતિ-નિષ્ઠો કાચી હતી. ગાંધીજી તેમને વધુ સમય ન આપી શક્યાં હોય તે પણ બનવા જોગ છે; તેઓ વતનિષ્ઠ તે રહ્યા પણ તેમની નીતિનિષ્ઠા કાચી રહી ગઈ હોવાથી તેઓ ઘણીવાર અણઘડ વિધાને કરે છે; પિતાની સંસ્થાની નીતિની વિરૂધ્ધ હોય એવાં તો કે સંસ્થાઓને પક્ષાતીતતાના નામે ટેકો આપતા હોય છે. ગાંધીયુગના કેટલાક કોંગ્રેસી કાર્યકરો તેમજ રચનાત્મક કાર્યકરોમાં આ રીતે 'કચાશ આવી ગઈ છે અને પરિણામે ભારતીય સંસ્કૃતિ વિરોધી કાર્યો ચાલતાં હેય, અનિષ્ટ ફેલાતાં હેય તે છતાં ઉપેક્ષા, ઉદાસીનતા કે મૌન સેવીને આડકતરી રીતે તેમને ટેકો આપતા હોય છે, તેઓ છડેચોક દાંડતો કે અનિષ્ટોને વડી શકતા નથી. નીતિનિષ્ઠા ન હેવાને કારણે કેટલાક સર્વોદયી કાર્યકરે પણ માત્ર રાહતનાં કાર્યો કરી ચૂપ બેસી રહે છે; અને સર્વાગી સ્પષ્ટ દષ્ટ ન હોવાથી કયું કાર્ય મુખ્ય અને કયું કાર્ય ગૌણ તે સમજી શકતા નથી. કાય ચાલી ગઈ છેતેમજ રચન પંડિત જવાહરલાલ નેહરૂ જેવા કેટલાક કાર્યકરે ગાંધીજીના સંપર્કમાં હતા, તેમની નીતિનિષ્ઠા પાકી હતી. એના કારણે તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં ભારતીય સંસ્કૃતિને લક્ષમાં રાખીને કાર્ય કરે છે. તેઓ કોઈ પણ પ્રકારના ઘર આંગણેના તેમજ વિદેશના ઘર્ષણ વિવાદના મામલામાં અહિંસાની દૃષ્ટિએ, પંચશીલ પ્રમાણે કામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust