Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 168 ખાતામાં દ્રવ્ય વધારે કરવામાં કે પૈસાદાર - મહાપરિગ્રહીને પ્રતિષ્ઠા આપવામાં અપરિગ્રહવ્રત ગૌણ બની જાય છે. એવી જ રીતે કુટુંબમાં ચ લતાં બ્રહ્મચર્યનાશક વાતાવરણ, સંતાનવૃદ્ધિ, ફેશન કે વિલાસ દ્વારા કામોત્તેજના વૃદ્ધિથી બ્રહ્મચર્ય અવ્રત ભલે સ્થૂળ દૃષ્ટિએ પળાતું હોય - પણ સુક્ષ્મદ્રષ્ટિએ તે ગૌણ બને છે. વતનિષ્ઠાનું સાચું હાર્દ નીતિનિષ્ઠાને છે ખરી રીતે સમજવામાં છે અને વ્રત પાલન સાથે સાથે જીવનમાં નીતિ, નિષ્ઠા પણું મજબૂત રહેવી જોઈએ. નહીંતર ઉપર જણાવવામાં આવેલ છે તે મુજબ નીતિ-નિષ્ઠા વગરની વ્રતનિષ્ઠામાં જડતા, રૂઢતા અને અજ્ઞાન પેસી જવાનો સંભવ છે. . . . : યુરોપમાં ખ્રિસ્તી ધર્મસંઘ જે શેમમાં ચાલતો હતો તેના પાદ- રીઓ-પપ પોતે વ્રતબદ્ધ હોવા છતાં, તેમનામાં ધર્મ સહિષ્ણુતા ન : હેવાને કારણે તેમજ તેઓ રાજ્યના આશ્રયે હેવાના કારણે, તેમણે સાચી ધર્મ-નિષ્ઠા ગુમાવી અને પરિણામે તેમણે સંત-ફાંસિસ અને એમના જેવા બીજા સાધુઓને નજીવા મતભેદના કારણે બાળી મૂક્યા; મરાવી નાખ્યા. એવી જ રીતે જેમને થડક મતભેદ હતો એવા ઘણાને , રીબાવીને મારી નંખાવવામાં આવ્યા. એવી જ રીતે ઘણું મુસ્લિમ શાસકોએ ઔરંગજેબ જેવા કદર અને ધર્મઝનૂની બાદશાહોએ પણ . હિંદુઓ ઉપર જુલ્મો કર્યા, તલવારના જોરે ધર્માતર કરાવ્યું અને જે , તાબે ન થયા તેમને મારી નખાવ્યા. આવા પ્રસંગો ધર્મના નામે થયા તેનાં કારણો જોતાં એમ લાગ્યા વગર નહીં રહે કે તે ધર્મવાળા લોકોમાં નીતિનિષ્ઠા ન હતી. * મહમદ પૈગંબરે આરબના લોકોને એક કરવા માટે સત્તા સ્વીકારી, છે છતાં નીતિનિષ્ઠ હોવાના કારણે બહુ જ સાદાઈથી રહેતા હતા. તેમણે રાજ્ય ઉપર ઈસ્લામ ધર્મનું વર્ચસ્વ રાખ્યું પણ પાછળના ખલીફાઓમાં એક-બે સિવાયના બધામાં નીતિ-નિષ્ઠા કાચી હોવાના કારણે, રાજસત્તા હાથમાં લઈને તેઓ સાદાઈથી ન રહી શક્યા અને ભોગવિલાસમાં પડ્યા રહ્યા. જન, બૌદ્ધ કે વૈદિક સાધુઓમાં કેટલાક એવા થઈ ગયા જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust