Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 164 ઉપવાસ વ.સંકળાયેલા છે તેને ભલે અનુસરે પણ એ બાહ્ય ક્રિયા કાંડેનેજ, પૂર્ણ ધર્મનિષ્ઠા ન માની બેસે; તેમાં દેશ, કાળ, પરિસ્થિતિ પ્રમાણે તેણે. સંશોધન પરિવર્ધન કરવું જોઈએ અને આ વાતને અનુકૂળ થાય એવા. કાર્યક્રમો ગોઠવવા જોઈ.અ. . . . ; ; એવી જ રીતે માત્ર પુણ્ય દાન રોહતનાં કાર્યોને જ ધર્મનિષ્ઠા માનવામાં આવશે તે સમાજ શુદ્ધિ માટે તપ-ત્યાગ-બલિદાન વગેરે ક્રાંતિના કામો રહી જશે. આનો અર્થ એવો નથી કે માણસે દયાદાન પુણ્યનાં કાર્યો ન કરવાં પણ ઘણીવાર એનેજ સંપૂર્ણ ધમ માની લેતાં એવું બને છે કે દયા-દાન પુણ્ય કરનાર વ્યક્તિ અન્યાય–શેષણ, અનીતિ અસત્ય વનું આચરણ જીવનમાં કરતો હોય છે અને પિતાને ધર્માત્મા માનતો હોય છે. એટલું જ નહીં કેટલીકવાર સમાજ પણ એવી વ્યક્તિને ધર્માત્મા તરીકે નવાજે છે. એક સંસ્થાને દાખલો અહીં લઈએ. એને એક વ્યક્તિએ ઉદાર હાથે વિશહજારનું દાન આપ્યું. તે વ્યક્તિના દાનથી પ્રેરાઈને સંસ્થાના કાર્યકર્તાઓએ તેને માનપત્ર આપ્યું છે અને તેમાં એને ધર્મરત્નની ઉપાધિ આપી. હવે આ વ્યકિતનું ખાનગી જીવન બધા પ્રકારના વ્યસનોથી પરિપૂર્ણ હતું. તે અંગે પાછળથી સંસ્થાના કાર્યકરોની ટીકા પણ થઈ. પુણ્યાદિ બાહ્ય પ્રવૃત્તિ સાથે આંતરિક વ્રતનિષ્ઠા પણ એટલી જ શુદ્ધ હેવી જોઈએ. એમ ન થાય તો સત્ય-અહિંસા વગેરેના ક્રાંતિના કાર્યો અદ્ધરજ રહી જાય છે. ઘણ” કહેવાતા સાધકો અંગે પણ એવું જોવામાં આવ્યું છે કે તેઓ પરહ્યાણ અને પરોપકારના કાર્મોમાં પડી જાય છે અને આત્મકલ્યાણ - કે સ્વ-ઉપકારની વાત ચૂકી જાય છે. ખરેખર તો આત્મકલ્યાણ કે સ્વ ઉપકારની સાથે સાથે પરિકલ્યાણ અને પરોપકારની વાત આવે તો જ' સમાજમાં સુવ્યવસ્થા, શાંતિ અને શુદ્ધિ જળવાઈ રહે છે. માત્ર પુણ્ય દાન રહતના કાર્યોથી સમાજ કે વ્યક્તિની અનિષ્ટ શુદ્ધિ થતી નથી. એક સાધક માટે ધર્મનિષ્ઠા કે ધર્મનિષ્ઠા તરફ જવાનો ઉદ્દેશ્ય મુખ્ય હોવો જોઈએ. તેની સાથે આપોઆપ પુણ્ય, દાન, દયાનાં કાર્યો આવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust