Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 138 ઉભા રહે છે તેની તિક સંગઠને આય આમ દરેક સ્થળે સર્વપ્રથમ સમ્યક્ શ્રદ્ધા-વિચારનિષ્ઠા હોવી જરૂરી છે, પણ એની સાથે એને આચારમાં મૂકવી એની પણ એટલી જ જરૂર છે. વિશ્વવાત્સલ્યને વિચાર લગભગ દરેક ધર્મોએ-વિચારધારાએ સ્વીકારેલો છે પણ એને આચારમાં મૂકવા જતાં કેટલાં વિદને આવીને ઊભાં રહે છે તેને ખ્યાલ અગાઉ અપાઈ ગયો છે. છતાંયે જુદા જુદા ધોરણે અલગ અલગ નૈતિક સંગઠન રચવામાં આવે અને સમાજનું ઘડતર કરવામાં આવે તો અઘરી લાગતી આચારનિષ્ઠા સરળ અને સહજ બની શકે છે. વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠાનાં બે અંગો છે :-(1) નીતિનિષ્ઠા (2) ધર્મનિષ્ઠા (વ્રત નિષ્ઠા). આ બે અંગે પૂર્ણ થાય તે જ આચારનિષ્ઠા પૂર્ણ થઈ શકે, નહીંતર તે આંશિક આચારનિષ્ઠા કહેવાશે. અહીં ધર્મ એટલે અહિંસા, સત્ય, ન્યાય વગેરેવાળું વ્યાપક ધર્મતત્વ, એ અર્થ લેવાને છે, કઈ જૈન, બૌદ્ધ, વૈદિક, ઈસાઈ કે ઈસ્લામ એવા ' નામવાળો ધર્મ સમજવાને નથી." ઘણું લોકો એમ કહેશે કે વિશ્વ વાત્સલ્યમાં એકલી ધર્મનિષ્ઠા (વ્રત નિષ્ઠા) હોય તે શું આચારનિષ્ઠા ન આવે? વળી નીતિ–નિષ્ઠા ઉપર એટલો ભાર મૂકવાની શું જરૂર છે? નીતિનિષ્ઠા વગરની ધર્મનિષ્ઠા હોય તે વ્યકિત કે સમાજનું જે સર્વાગી ઘડતર થવું જોઈએ, તે થતુ નથી. નીતિ સ્પષ્ટ ન હોવાને કારણે સર્વાગી વિરૂધ્ધ એકાંગી કે અનેકાંગી આચારનિષ્ઠાને ટેકો કે સમર્થન અપાઈ જવાનો ભય ઊભો રહે છે. આચાર નિષ્ઠા માટે નીતિ પાયા રૂપે છે અને વ્રત એની ઉપરનું ચણતર રૂ૫ છે. પાયા વગરની આચારનિષ્ઠા ટકી શકે, એને સંભવ ઓછો છે. આજે નીતિનિષ્ઠાના અભાવે એવું જોવામાં આવે છે કે પારેવાંને . કણ નાખનારા લોકો કસાઈને પૈસે ધીરે છે અને કીડીની રક્ષા કરનાર લોકો રેશમને વેપાર કરે છે. જેમાં નીતિનિષ્ઠા તરફ જે ઉપેક્ષા સેવાય છે તેનું પરિણામ એ આવ્યું છે કે ઠેર ઠેર પૈસો અને પૈસાદાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust