Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 153 ઉપરાંત સંસ્થાની પ્રવૃત્તિઓ અને કાર્યોમાં વિવેક રાખવો જોઈએ કે કયું કામ પહેલું કરવું અને કયું બાદમાં ! તે ઉપરાંત દરેક કામ કઈ દષ્ટિથી કરવામાં આવ્યું છે કે તે કઈ દ્રષ્ટિથી થયું નથી તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ઉપયોગિતા માટે બાર ભાવનાઓ (અનુપ્રેક્ષા) પણ ઉપયોગી છે. તેમજ પ્રતિક્રમણ (લતદોષ ભંગ કે પાપનો એકરાર, વિચાર અને પુનઃ ન થાય તે માટેની પ્રતિજ્ઞા) પણ જરૂરી છે. (8) શેષણ મુક્તિ : 1 વિશ્વવાત્સલ્યનો સાધક દરેક પ્રકારના શેષણમાંથી લોકોને દૂર કરવા પ્રયત્ન કરે કે કરાવે એ વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનું નવમું સૂત્ર છે. * શોષણ મુક્તિ માટે સત્ય, પ્રેમ અને ન્યાયની દૃષ્ટિએ સહકારી પ્રવૃત્તિ, ફરજિયાત બચત વગેરે પ્રવૃત્તિઓ ચાલે અને ન્યાય માટેની પંચાયતો (પંચ)માં નૈતિક પ્રતિનિધિત્વ જરૂર રાખવામાં આવે. એ જોવું જરૂરી છે. (10) સફાઇ, પ્રાર્થના અને રેંટિયે : આ દશમું સૂત્ર છે; અને તે બહુ જ મહત્વનું છે. વિશ્વાત્સલ્યમાં માનનારી દરેક સંસ્થાઓએ આ પ્રમાણે વર્તવું જોઈએ જેથી ત્રણે વસ્તુઓ જ્ઞાન, ભક્તિ અને કર્મ અથવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય સાધી શકાય. લોકો અને લોકસેવકો, તેમજ રાજ્ય સંસ્થાના કાર્યકરો આ ત્રણેય બાબતોને એ જ રૂપે લેશે; અને યથાયોગ્ય જીવનમાં આચરશે. સફાઈ એટલે અંદર તેમજ બહારની દરેક પ્રકારની સ્વચ્છતા એટલે કે પવિત્રતા ઉપર ધ્યાન આપશે. પ્રાર્થના વડે તે ભક્તિભાવ-શ્રદ્ધા જગાડશે અને રેંટિયા વડે તેને પોતાના કર્તવ્ય-વિધવાત્સલ્યનું સતત ભાન રહેશે. " ત્યારે ઉચ્ચ કોટિના સાધકો-ક્રાંતિપ્રિય સાધવર્ગ બાહ્ય સફાઈ કરતાં આંતરિક સફાઈ ઉપર વિશેષ ધ્યાન આપશે; અને સમાજશુદ્ધિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust