Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 136 * * . એકવાત યાદ રાખવાની છે કે તે એ કે શૂન્યાવકાશ ઊભો ન થવા દેવું જોઈએ. “આ નહીં પણ આ " એમ દરેક બાબતની અવેજી મૂકવી જોઈએ. મર્યાદિત નિષ્ઠાને આંચકો લાગે ત્યારે ખળભળાટ મચી જાય; પણ, મકકમ રહીને સત્યનું વ્યક્તિગત અને સામૂહિક આચારરૂપે સિદ્ધ કરવું પડે. આવું ક્રાંતિબીજ હોય; તે ભલે ક્રાંતિકાર જાતે “ચાલ્યો જાય, પણ એણે પ્રેરેલું બીજ તેના ગયા બાદ પણ ઊગી નીકળે. ' 800 થી 1200 સાધકો અને બીજા અનેકોનાં બલિદાન અપાયાં બાદ ઈશુ પછી 700 વર્ષે તેના વિચારે ફેલાયા. બુદ્ધના વિચારે અશોક . પછી હિંદ બહાર ફેલાયા. એમ વિશ્વ વાત્સલ્યને વિચાર ધીમો ફેલાયું, એ હકીકત છે પણ; એ ફેલાશે જ.” ટુંકમાં સહુએ કબુલ્યું હતું કે આચારનિષ્ઠા માટે, વિચારનિષ્ઠા કરતાં પાયાની અનેકગણ તાકાત જોઈએ છે. એટલા માટે જ આટલી વિશદ અને ઊંડાણથી ચર્ચા થાય છે. . ! - ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust