Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ - ૧૪ર૬ અદિપાદ પંચમદ્યાજિ. દયાળ મત રાવૈસેઢિ 2 હરિકૃતિ, (અહિંસાના ગ્રહણથી પાંચ મહાવ્રતોનું ગ્રહણ થાય છે.) પણ સામાન્ય જનતા માટે આટલી ઝીણવટ અશક્ય છે. અને તે ઉધે રસ્તે દોરવનારી પણ નીવડી શકે છે, અહિંસામાં કેવળ અહિંસાને જ તેને બોધ થશે; જ્યારે ધર્મશબ્દમાં અહિંસાદિ પાંચેવતો, ઉપરાંત બીજા ઉપવતે જે બધા ધર્મોને માન્ય છે, તે આવી જાય છે. એટલા માટે જ ભગવાન મહાવીરે તેમની પૂર્વે થયેલ ભ. પાર્શ્વનાથના ચાતુર્યામ સંવર માંથી પંચમહાવ્રતની પ્રતિસ્થાપના કરી હતી. આજે અહિંસક સમાજ રચના કહેતાં માત્ર એવા સમાજની રચનાને બોધ થશે કે જે માંસાહાર ન કરતો હોય જીવવધ ન કરતો હોય કે લીલોતરી ન ખાતે હેય. અને તેની કલ્પના સામાન્ય રીતે જૈન સમાજ કે તેને માનનારે સમાજ કરશે. વૈષ્ણવ અહિંસાને અર્થે કરશે - “ગોહત્યા ન કરવી, પશુવધ ન કરવો અને શાકાહાર કરવો.” માનવાનું પરસ્પરનું શોષણ, અન્યાય, અત્યાચાર, અનીતિ, ભેદભાવ, ગુલામી વગેરે હિંસાના પ્રકારે છે એવી વાત કોઈને ગળે અહિંસા કહેતા નહીં ઉતરે. એટલે જ “ધર્મ' શબ્દને અહીં આગ્રહપૂર્વક લેવામાં આવ્યું છે અને ધર્મદષ્ટિએ સમાજ રચનામાં એ વાત સ્પષ્ટ થાય છે. કોઈપણ કાર્યનું મૂર્તરૂપ સ્પષ્ટ થાય તો જ એ કાર્ય વ્યાપક બની શકે છે. વિશ્વવાત્સલ્યનું મૂર્તરૂપ ધર્મમય સમાજ છે. એ દષ્ટિએ વિશ્વ વાત્સલ્યને લક્ષમાં રાખીને જે સંગઠને ઊભાં થયાં છે તેમાં ધર્મ– દૃષ્ટિ રહેવી જોઈએ. તેમાં અર્થ કે કામ દષ્ટિ ન હોવી જોઈએ. કદાચ અર્થ-કામદષ્ટિ આવી પણ જાય તો ત્યાં સાવધાની રાખીને તેને દૂર કરવી જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust