Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 144, લોભ લાગ્યો. કારણ કે નીતિનિષ્ઠા ઉપર તેમને શ્રદ્ધા ન હતી. તેઓ નકકી કરેલા ભાવ કરતાં ઉંચા ભાવે લેવા અને વેચવા લાગ્યા. ખેડૂત મંડળના ખેડૂતો તો નક્કી કરેલા ભાવે અનાજ ખેડૂતમંડળને જ . આપતા પણ મંડળની બહારના ખેડૂતો ભાવ વધારે મળતાં બહાર વેચવા લાગ્યા. ત્યાં ભાવ તે ઊંચે મળતો પણ તોળવામાં ગોટાળો થતો એટલે તેમણે ત્યાં આપવું બંધ કર્યું અને ખેડૂતમંડળને આપવું શરૂ કર્યું. તેમને વિશ્વાસ બેસી ગયો કે ખેડૂતમંડળ નીતિ ઉપર છે અને ત્યાં અર્થને લોભ નથી. લગભગ 17 હજાર મણું અનાજને સંગ્રહ થઈ ગયો. ભાવ ધાર્યા કરતાં ઊંચા ન ગયા. એટલે ખેડૂતમંડળ સામે પ્રશ્ન આવ્યો કે તેને ખરીદશે કોણ? તે વખતે લક્ષ્મીદાસ આસરે કહ્યું કે “ગાંધી-હાટ” ખેડૂતમંડળનું બધું અનાજ ખરીદશે. એ વખતે ખેડૂતમંડળની સ્થિતિ એટલી સધર ન હતી કે અનાજ ખરીદીને સંઘરી શકે. જે તે વખતે ખેડૂતો અર્થ (પૈસા) પાછળ પડ્યા હોત તો કદાચ વધારે નફો મેળવી શકત પણ નીતિ ઉપર રહેવાની તેમની જે નિષ્ઠા પાકી થઈ તે કદાચ ન થાત. પરિણામે ખેડૂતમંડળ ભવિષ્યમાં જે કામ કરી શકયું તે ન કરી શકત. અહીં અર્ધદષ્ટિ ઉપર ધર્મદષ્ટિને અંકુશ આવી ગયે. - આમ અર્થ અને કામ-લક્ષીથી ઉપર ઊઠીને ખેડૂતમંડળ ધર્મલક્ષી બનીને નીતિનિષ્ઠા ઉપર ટકી રહ્યું, તે લાભ નાનોસૂને નથી. (2) સર્વસમન્વયમાં પાયે ધર્મતત્વો: વિધવાત્સલ્યની નીતિનિષ્ઠાનું બીજુ સત્ર એ છે કે બધા ધર્મો, વિચારે, સંસ્કૃતિઓ, રાઇટ્રો, ક્ષેત્રે અને જ્ઞાતિઓને સમન્વય ધર્મતત્વના પાયા ઉપર કરવો. કોઇ એમ કહેશે કે બધા ધર્મોને સમન્વય કરો છો તો બધા : રાજકીય પક્ષોનો સમન્વય વિધવાત્સલ્યમાં કેમ ન થઈ શકે? આ અંગે પૂ. સંતબાલજીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust