Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ આમ પહેલા સૂત્ર પ્રમાણે એમ કહી શકાય કે વિશ્વ વાત્સલ્યને અનુલક્ષીને થયેલાં સંગઠનમાં ધર્મદષ્ટિ મુખ્ય રહેશે અને અર્થ-કામદષ્ટિ ગૌણ રહેશે. અત્યાર સુધી એ જ દષ્ટિ વિશ્વ વાત્સલ્ય વિચારને અનુલક્ષીને સંચાલિત સંગઠનોમાં રાખવામાં આવી છે. કદાચ પ્રારંભમાં થોડેક લેભ જતો કરે પડે, પણ અંતે તો નીતિના ધોરણે ચાલતી સંસ્થાઓ જ લોકમાનસને વિશ્વાસ મેળવી શકે છે અને તેમનામાં નીતિને પ્રચાર કરી શકે છે. ભાલ નળકાંઠા ખેડૂત મંડળને દાખલો આ વાતને સ્પષ્ટ કરશે. તે મંડળ હજ સ્થપાયું જ હતું. તે વખતે કંટ્રોલ ચાલતો હતો. ખેડૂતોને બાંધેલા ભાવે ફરજિયાત અનાજ વેચવું પડતું હતું. પણ તેમને જોઇતી ચીજો બહુ મુશ્કેલીથી લાવવી પડતી હતી. આમ ખેતી પરવડે તેમ ન હતી. કારણ કે અંકુશ એકતરફ હતો. એવી પરિસ્થિતિમાં ખેડૂતોએ મુનિશ્રી સંતબાલજી પાસે વાત મૂકી: “કાં તો સરકારે અનાજના ભાવ વધારવા જોઈએ અથવા અંકુશો કાઢવા જોઈએ.” ગુજરાતના રચનાત્મક કાર્યકરે મુનીશ્રીની હાજરીમાં મળ્યા. ખાનાર અને ખેડનાર બન્નેને પોષાય તેવા ભાવો બંધાવા જોઈએ—એ જ વ્યાજબી છે. પણ તે થાય કેવી રીતે ? તે વખતે ગાંધીજીએ અંકુશો કાઢી નાખવા માટે દેશવ્યાપી પ્રશ્ન મૂકો. સરકારને ડર હતો કે અંકુશો જતાં ભાવમાં ઉછાળો આવી જશે. અંતે ૧૯૪૭ના ડિસેમ્બરમાં અંકુશો ગયા. - તે વખતે વેપારીઓ (બાવળા વ. કસ્બાના) ની એક સભા બોલાવવામાં આવી. પૂ. મહારાજશ્રીએ વેપારીઓ અને ખેડૂત સમક્ષ સ્વેચ્છાપૂર્વકનો અંકુશ રાખવાની વાત રજૂ કરી. સહુએ તેને સ્વીકાર કર્યો અને રૂા. 10) ને ભાવ નક્કી થયો. આમાંથી મોટા ભાગના વેપારીઓ વચન આપવા છતાં આ નૈતિક સંગઠનમાં ન ભળ્યા, વચન ઉપર ટકી ન શક્યા. તેમને અર્થ - ખાનાર અબી છે. પણ શવ્યાપી પ્રજી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust