Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 141 કરવામાં આવી છે. એ કંઈ ઓછું હોય તેમ ઘણાયે પ્રાંતોમાં હિંદીની ઉપેક્ષા અને વિરોધ પણ કરવામાં આવેલ છે. આ બધી સંસ્થાન. ઈતિહાસની પરસ્પરની વિસંગતતાઓ છે, અને તેનું કારણ નીતિનિષ્ઠાની કચાશ છે. ઉપરના બધા દાખલાઓનું પૃથક્કરણ કરતાં આપણને ઘણું કારણો જોવા મળશે જે આચારનિષ્ઠાને બાધક હોય છે. તેમાં ઘણા પાયાના મુદ્દાઓ પણ છે. વિશ્વવાત્સલ્યની આચારનિષ્ઠાનો પાયો એટલા માટે જ નીતિનિષ્ઠાને માનવામાં આવ્યો છે, અને તેને અનુરૂપ વિશ્વવાત્સલ્યની નીતિ-નિષ્ઠાના અગ્યાર સૂત્રો માનવામાં આવેલા છે. આ સ વગર વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠા કદિ સક્રિય નહીં બની શકે. વિધવાત્સલ્યની નીતિનિષ્ઠાના 11 સૂત્ર [1] ધર્મદષ્ટિએ સમાજ રચના : વિશ્વવાત્સલ્યનું મૂર્તરૂપ ધર્મદષ્ટિએ સમાજ રચના છે અને એને જ નીતિનિષ્ઠાનું પહેલું સૂત્ર માનવામાં આવે છે. અહીં ધમ એટલે કોઈ વિશેષ સંપ્રદાય સૂચક નહીં, પણ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ન્યાયનીતિ વગેરે ધર્મતનો સૂચક શબ્દ છે. - ધર્મદષ્ટિએ સમાજ રચનાના બદલે અહિંસક સમાજ રચના શા માટે નહીં ? એ ઘણા પ્રશ્ન કરશે. જે ઝીણવટથી જોવામાં આવે તો અહિંસામાં બાકીના ચાર વ્રતો આવી જાય છે. જૈનાચાર્ય હરિભદ્રસૂરિએ એ વાતને સ્વીકાર કર્યો છે કે :- सव्वाओ दि नइओ कंमेण जह सायरंभि निवडंति। तह भगवई अहिंसि सव्वे धम्मा संमिलति / / __संबोध सत्तरी (જેમ બધી નદીઓ ક્રમશઃ સાગરમાં જઈને મળે છે તેમ અહિંસામાં બધા ધર્મો આવીને મળે છે.) Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S