Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 14 માતા બનવા તૈયાર નથી થતી. તે ફળ લઈને ગાયને ખવડાવે છે. ગાય - ગર્ભ ધારણ કરે છે અને પ્રસૂતિના બંધાં કષ્ટો સહે છે. ધૂધલી પિતાની બહેનના પુત્રને દત્તક લે છે. અંતે પરિણામ એ આવે છે કે કષ્ટ વગરને પુત્ર મા–બાપને મારે છે અને અવગતિમાં નાખે છે. જ્યારે એ અવગતિયાંઓની ગતિ પેલી ગાયમાંથી જન્મેલો “ગેકર્ણ' કરે છે. "વિચારની આચાર પરિણતિ માટે સાત ગાંઠે તોડવી અવગતિયાંની ગતિ કરવા માટે શેરડીનો સાંઠો પ્રતીક તરીકે (ગાંઠોના કારણે) રખાય છે. એવી જ રીતે ક્રાંતિમય વિચારને આચારમાં પરિણત કરવા માટે પણ સાત ગાંઠે આવે છે. મારા નમ્ર મત પ્રમાણે સાત ગાંઠ છૂટયા વિના કોઈ પણ વિશ્વાત્સલ્યને ક્રાંતદષ્ટા ન બની શકે, તે આ પ્રમાણે છે:-- (1) હું પુરૂષ છું એટલે કે દેહાભિમાન એ પહેલી ગાંઠ. (2) “હું સ્ત્રી છું”, " હું પુરૂપ છું” એવો નરનારીને કે ભેદભાવ બીજી ગાંઠ છે, (3) કર્તવ્યને નામે કુટુંબમાંજ પરોવાઈ રહેવાય; વિશ્વને વિચાર જ ન થાય એ ત્રીજી ગાંઠ છે. (4) જ્ઞાતિ માટે છાત્રાલય, વાડી, જમણ બધું થાય પણ બીજા ' માટે નહીં એવી ગોત્રની કે જ્ઞાતિની ચોથી ગાંઠ છે. (5) ધર્મ તે વિશાળ છે છતાં સંપ્રદાયમાં ગુંચવાઈ જવું એ પાંચમી સંપ્રદાય–ગાંઠ છે. તે જ દષ્ટિએ વ્રત ઉપવાસ કે કે દાન થાય અથવા દેરાસર, હવેલી, મજિદ, ગિરજાઘર થાય. આવો ભાવ વિશ્વાત્સલ્યને આવવા દે નહીં. (6) રાષ્ટ્રાભિમાનને લીધે દેશ પૂરતી ભાવના કેળવાય તે છઠ્ઠી રાષ્ટ્ર-ગાંઠ છે. “હું હિંદી છું”, “હું જર્મન છું” “હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust