Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ - 133 આમ કાળે કાળે માણસો પાછળ રહી જાય છે તેવાં માનવોને આગળ લાવવા પુરુષાર્થો પણ થાય છે એ પુરાણકાળથી પ્રચલિત છે. શુન: શેપનું નામ દેવવ્રત રાખી વિશ્વામિત્ર તેને માટે કરે છે. એટલું જ નહીં, જેણે એને ભાઈ તરીકે સ્વીકાર્યો નહીં તેને એવા હલકી ગતિમાં પંડયાની વાત પણ આવે છે. ' ટુંકમાં માનવ માત્ર એક છે. સદ્દગુણ અને દુર્ગુણના ભેદ થઈ શકે. કોળી જેવી હલકી કોમમાં પણ ભક્ત પાકી શકે છે. વિચારક્રાંતિનું મૂલ્યાંકન તેમ જ સંગઠનોની મહત્તા શ્રી માટલિયાએ જણાવ્યું : “પશ્ચિમના ક્રાંતિ શાસ્ત્રીઓએ કબૂલ્યું છે કે પ્રથમ વિચાર જેટલી વધુ સંખ્યામાં આગળ પહોંચે તેટલે અંશે ક્રાંતિ સામે દમન કરનારને જુસ્સો ઓછો થાય છે, નબળે પડે છે. એટલે જ પરિવર્તને સમાજમાં અમલી બનાવવા માટે વિચાર--પરિવર્તન અને હૃદય-પરિવર્તન જેટલાં જરૂરી છે તેટલું જ પરિસ્થિતિ પરિવર્તન પણ જરૂરી છે. ક્રાંસ, ઈંગ્લાંડ, રશિયા અને ચીનની ક્રાંતિઓ પણ પુરવાર કરે છે કે વિચાર-પરિવર્તન સાથે પરિસ્થિતિ પરિવર્તન માટે સંસ્થાઓ જોઈએ જ અને સંસ્થાઓએ કાર્યક્રમો આપવાં જોઈએ; તે જ સમાજમાં રૂઢ થયેલા વિચારે ફેરવાઈ શકે. - ક્રાંતિકારી વિચારોને આચારમાં લાવવામાં ઘણું વિદને આડે આવે છે. તેથી તે વખતે સંયમ, નિગ્રહ અને તપ વિના ક્રાંતિમય વિચારોની આચારનિષ્ઠાનું ફળ આવે જ નહીં. ભાગવતમાં એક દાખલો છે. ઋષિ ફળ આપે છે પણ તેમની પત્ની ધૂધલી લેતી નથી. કારણ કે પુત્રરૂપી ફળ મેળવવા માટે, તેને 8-8 માસ ગર્ભમાં રાખવો પડે, પછી તે મોટો થાય ત્યાં લગી મહેનત કરવી પડે, સંયમ, નિગ્રહ અને તપ કરવાં પડે. તે માટે ધૂધલી બ્રાહ્મણ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust