Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 122 –અનુકૂળતા રૂપે બદલાઈ શકે અથવા તેની આચારનિષ્ઠાનું મૂલ્યાંકન બીજા લોકો કરવા લાગે એ પણ શક્ય છે. (2) પિતાની પરિસ્થિતિની પ્રતિકૂળતા : આચારનિષ્ઠાને અમલમાં લાવવા માટેનું આ બીજું બાધક કારણ છે. ઘણીવાર સાધકને તેના કુટુંબવાળાઓ જ ન માને, જ્ઞાતિ કે સંપ્રદાયવાળા ન માને એવું પણ બને. કયારેક સાધકની આજીવિકા કે ભિક્ષાચરી એવા લોકોનાં હાથમાં હોય, જે તેની આચારનિષ્ઠાના વિરોધમાં તેને મુશ્કેલીમાં મૂકી દે. ઘણાખરા સાધુઓની પરિસ્થિતિ પણ સમાજ સાથે સંકળાયેલી હોય છે. તેઓ વિશ્વ વાત્સલ્યને આચારમાં મૂકવા જાય તે સમાજ તેમની ભિક્ષાચરી પણું બંધ કરી શકે–તેમને ઉતરવાનું સ્થાન ન આપે કે બિમારીમાં ચિકિત્સાને પ્રબંધ પણ અટકાવે. તેમના શિક્ષણ માટે પંડિતને ખર્ચ પણ બંધ કરાવે ! આ બધી ચિંતાઓ મોટાભાગના બધા ય સંપ્રદાયના સાધુઓને થયા કરે છે. એથી એક વાત તેઓ ભૂલી જાય છે કે તેમણે વિશ્વવત્સલ (છ કાયના મા-બા૫) બનવાની પવિત્ર જવાબદારી લીધી છે તે પૂર્ણ થતી નથી. એટલું જ નહીં તેમણે જાતે પેદા કરેલી આ માનસિક પ્રતિકુળતાના કારણે જેમની પાસે વિશ્વ વાત્સલ્યના વિચારોનું સ્પષ્ટ ચિત્ર છે તેમની પાસે જવામાં, સમજવામાં કે વિચાર વિમર્શ કરવામાં પણ સંપ્રદાયને ભય અનુભવે છે. જોવા જઈએ તે આ જાતે ઊભાં કરેલાં બધને છે. તેને સાધકે તોડવાં જોઈએ. (3) જૂના સંસ્કારે: જૂના સંસ્કારો એ પણ એક જમ્બર બાધક કારણ છે. “આ વિચારે બરાબર છે. તેનામાં વિશ્વહિત રહેલું છે!” ! એમ સમજવા છતાંય તેને આચારમાં મૂકવા અચકાવનાર જૂના સંસ્કારે હોય છે. જ્યારે સર્વધર્મ સમન્વયની વાત રજૂ થઈ ત્યારે કોઈએ તેનાથી ખાસ આંચકે ન અનુભવ્યો ! કેટલાક કહેવાતા સુધારકોએ ઉદાર દિલે પોતાના સંપ્રદાયના દોષ બતાવ્યા. પણ જ્યારે સર્વધર્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust