Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ - 120 એને આડે આવે છે. એક વકતાએ કહ્યું : “આપણે બધાયે સંપ્રદાયોની પરવા ન કરવી જોઇએ. સત્યથી ઉપાસના કરવી જોઈએ !" ત્યારે તેના એક એક વાક્યો ઉપર તાળીઓ પડે છે; પણ જ્યારે એ સત્યને જીવનમાં આચરે છે તો ગાળો વરસે છે. તે માટે એકએકથી ચઢિયાતાં બહાનાં શોધાય છે. શું વિચારોની મધુરતા આચારમાં આવી કડવાશ રૂપે બદલાઈ શકે? ના, એવું તો નથી ! ખરેખર જૂની પરિપાટીઓ મૂકીને નવે ચીલે ન જવા માટેના રૂઢિગત સંસ્કારો જ એને એવું સ્વરૂપ આપી દે છે. સર્વ ધર્મ સમન્વય અંગે ઘણું કહેવાય છે અને વિચારાય છે. દરેક ધર્મો સારાં તોથી સભર છે. બધા યે માનવકલ્યાણ ઇ છે. બધાયને આદર કરવો જોઈએ !" એવી વાત સાંભળતાં શ્રોતાઓ પ્રશંસા કરે છે અને ઉદારતા પ્રગટ કરે છે કે “અહા ! કે સુંદર વિચાર છે. " પણ જ્યારે સર્વ ધર્મ સમન્વય અને સર્વધર્મ સંસ્થાપક સમાદરની વહેવારિક યોજના રજુ થઈ ત્યારે ઘણા કહેવા લાગ્યા કે આ તો બરાબર નથી. જૈનોએ કહ્યું કે પહેલાં જૈનેને તે એક કરે ! હિંદુઓએ કહ્યું કે હિંદુ જાતિ તો એક થાય ! બધાને ક્યાં ભેળવશે ! ઈસાઈ, મુસલમાનોને ભેગા કરવાં એ ગાંડપણ છે. આ રીતે આચારમાં મૂકવાની વાત; એ જ વિચારના પ્રશંસકોને કાં તેં ભગીરથ લાગે છે, કાં મર્યાદા બહાર જણાય છે અથવા કોઈ અવ્યકત ભયને નિહાળે છે. | વિચારોને આચારમાં મૂકનાર આચારનિષ્ઠા પ્રત્યે ઘણી વાર અશ્રદ્ધા અને ઘણું પણ પ્રગટ થાય છે. માણસ જેટલાં પુરૂષાર્થનાં ગીતોથી ખુશ થાય છે તેટલો કર્મઠતા(પુરૂષાર્થ)થી થતો નથી. તેને કલ્પનાની કળા જોઈએ છે; વિચારોની બૌદ્ધિક કસરત જેઈએ છે પણ તેને આચાર(કાર્ય) નીરસ લાગે છે. તેમાં પંડિતાઈ નથી, કે નથી કવિત્વ! પણ એ આચાર, વિચારોની જ આકૃતિ છે તેને એ જોઈશકવા સમર્થ બનતો નથી. આ માણસ જાતિનું મોટામાં મોટું દુર્ભાગ્ય છે. વિશ્વના ઈતિહાસમાં આવા દાખલાઓ ઠેર ઠેર માનવજીવનમાં જોવા મળે છે. એટલે જ ઊંડા ઊતરીને વિશ્વવાત્સલ્યની આચારનિષ્ઠામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust