Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 113 આવે તે તેને પણ એને માન્ય કરવું પડશે. દરેક ધર્મોના શબ્દોમાં ફેરફાર હોઈ શકે. કોઈ એને વિશ્વપ્રેમ કહેશે, કોઈ વિશ્વભાતૃત્વ કહેશે તો કોઈ વિશ્વબંધુત્વ કહેશે ! કોઈ વિશ્વમૈત્રી રૂપે રજૂ કરશે તો કોઈ અદ્વૈતભાવ રૂપે કોઈ સામાયિક સ્વરૂપે સમજાવશે તે કોઈ બ્રહ્મવિહાર રૂપે કોઈ આત્મૌપમ્પ કહેશે તો કોઈ આત્મવત સર્વભૂતેષુ કહેશે. આમ અલગ અલગ શબ્દોની પાછળ ભાવનાને વિચાર કરવામાં આવે છે તે વિશ્વવાત્સલ્યની ભાવના જ હશે. એટલે વિશ્વ વાત્સલ્યના વિચારનું ખેડાણ, આપણું ઋષિઓએ કર્યું છે અને હજારો વર્ષોથી સંતો, ભક્તી, શ્રમ, ઋષિ-મુનિઓ વિધવા સલ્યના વિચારોને ઉપદેશ, વ્યાખ્યાન, લેખ કે સંદેશ રૂપે પ્રચાર કરતા રહ્યા છે. તે ઉચ્ચ વિચાર ભારતના લોકોને ગમ્યાં પણ છે. ઉચ્ચ વિચાર અને તેના ઊંડાણભર્યા પૃથક્કરણને પરિણામે અહીં છ દર્શને આલેખાય છે. આ વિશ્વ વાત્સલ્યના વિચારને આચારમાં મૂકવાને પ્રશ્ન આવે છે ત્યારે અનેક નડતરે કે બાધક કારણે ઊભાં થાય છે અને અનેક વાર, ભરતી અને ઓટ આવતી નજરે ચડે છે. એનું કારણ એ છે કે વિશ્વવાસયમાં બધા ધર્મો, વા, દર્શને, વિચારધારાઓ, વણે, જ્ઞાતિઓ, સંસ્થાઓ તેમ જ રાષ્ટ્રોને સમાવેશ થઈ જાય છે. બધાયને - પોતપોતાની યોગ્યતા પ્રમાણે સ્થાન મળે છે. એટલે આચારમાં મૂકતી વખતે ઉપર કહ્યા તે બધાયના અનેક સંસ્કાર આડા આવે છે. ' જગદ્ગુરુ શંકરાચાર્ય અદ્વૈતવાદના જમ્બર પ્રચારક હતા. તેમના મત પ્રમાણે જગતમાં આત્માના સર્વત્ર એક સ્વીકાર કરવામાં આવ્યો છે. પણ રૂઢિગત સંસ્કારો તેમને પણ કેટલે આડે આવતા તેને એક દાખલો આ પ્રમાણે છે - 2. જગદ્ગુરુ શંકરાચાર્ય કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર સ્નાન કરીને પાછા ફરતા હોય છે. તે વખતે સામેથી એક ચાંડાળ તેમને મળે છે. પિતાના પૂર્વસંસ્કારોના પ્રભાવના કારણે શંકરાચાર્યજી તેને આઘે ખસવાનું કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust