Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ [6] વિશ્વવાત્સલ્યની આચાર નિષ્ઠા [21-861 ] –મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વ વાત્સલ્ય ઉપર વિચારની દ્રષ્ટિએ અત્યાર સુધી સારી પેઠે વિચારાઈ ગયું છે. વિશ્વ વાત્સલ્યની ભાવનાઓ, પાસાંઓ અને એકમો ઉપર પણ જોઈએ તેટલો પ્રકાશ પાડવામાં આવ્યો છે. હવે તેની આચાર દિશા શું છે તેને વિચાર કરવાનો છે. કઈ પણ કહ૫ના ઘણજ સુંદર હેય પણ તે જ્યારે આકાર લે છે ત્યારેજ લાખો માણસને તેની સૌદર્ય ક૯૫નાની ઝાંખી થાય છે. એવી જ રીતે વિચારો ગમે તેટલાં સુંદર હોય પણ જો તે આચારમાં ન આવે તો તેની ઉપયોગિતા નહીંવત રહેશે. વિચાર જેટલી જ આચારની જરૂર છે. માત્ર વિચાર કરવાથી સમાજમાં પરિવર્તન કે ક્રાંતિ થઈ જશે નહીં. આચારમાં મૂકતા પહેલાં વિચારે પરિપકવ થવા જોઈએ પણ છેવટે તો તે આચારમાં મૂકાય તે શ્રેણિએ પહોંચવાનો પ્રયત્ન થો જરૂરી છે. આજે તો ભારતવર્ષમાં આચારની વધારે જરૂર છે. વિચારોનું ખેડાણ તો ભારતવર્ષમાં હજારો વર્ષોથી થતું આવ્યું છે. એ ઉચ્ચ વિચારોને પચાવી તેને કાર્યાન્વિત કરવાની જરૂર છે. એ માટે દરેક વિચારકોએ પણ એટલા જ ભાર મૂકે છે. વિશ્વવાત્સલ્યને લાગે વળગે છે ત્યાં સુધી વિચારની દ્રષ્ટિએ દરેક . ધર્મોએ તેને માન્ય કરેલ છે અને કદાચ નવી કોઈ ધાર્મિક વિચારધારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust